થાઈલેન્ડે ક્રિપ્ટોકરન્સી કાયદામાં મોટા ફેરફારો કર્યા છે
થાઈલેન્ડે ક્રિપ્ટોકરન્સી કાયદામાં મોટા ફેરફારો કર્યા છે
દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રે ડિજિટલ અસ્કયામતોના નિયમન અંગે મોટો નિર્ણય લીધો હોવાથી થાઈલેન્ડની મધ્યસ્થ બેંકની શક્તિ વધુ વધવાની તૈયારીમાં છે. થાઈના નાણાપ્રધાન આર્ખોમ ટર્મપિટ્ટાયપિસિથ દ્વારા આપવામાં આવેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં, તેમણે જણાવ્યું હતું કે, “આ ક્ષણે, કેન્દ્રીય બેંક પાસે ક્રિપ્ટો સામાન અને સેવાઓ માટે ચૂકવણીના કાયદાકીય માધ્યમ સિવાય, નિયમનકારી માળખામાં પ્રવેશવાનું કોઈ સ્થાન નથી.” ત્યાં…
View On WordPress
0 notes
૩૪. નિર્ણયશક્તિ જ મહાશક્તિ!
૩૪. નિર્ણયશક્તિ જ મહાશક્તિ!
34. Decision-making is the Superpower!
નાની નાની બાબતોમાં પણ યોગ્ય નિર્ણય લેવો એ ખુદ શક્તિ બની જાય છે.
સિકંદર એના જીવનકાળ દરમિયાન અનેક લડાઈઓ લડયો. લડાઈ લડવી એટલે માત્ર શસ્ત્રો ચલાવવાં અને દુશ્મનના સૈનિકોનો ખાત્મો બોલાવવો એવું નથી. લડાઈ લડવા માટે અનેક બાબતો વિચારવી પડે છે અને ધ્યાનમાં રાખવી પડે છે. વિવિધ બાબતોનાં લેખાંજોખાં તપાસવા પડે છે. અનેક હકીકતો એકઠી કરીને એમનું પૃથક્કરણ કરવું પડે છે તથા…
View On WordPress
0 notes
અમિત શાહે દેશમાં પૂરની પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીની સમીક્ષા કરી
અમિત શાહે દેશમાં પૂરની પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીની સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં પૂરની પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રીજીએ ભારતના હવામાન વિજ્ઞાન વિભાગ, જળ શક્તિ મંત્રાલય, કેન્દ્રીય દળ આયોગ (CWC) અને NDRFના સંયોજન માટેની એક નવી વ્યવસ્થા અંગે ઘણા નિર્ણય લીધા હતા. આ ઉપરાંત તેમણે દેશમાં આ વર્ષે આવનારા પૂરની સમસ્યાને ઘટાડી શકાય તે માટે વ્યાપક અને મહત્વપૂર્ણ…
View On WordPress
0 notes
કૃષિ કાયદાનો અમલ કરવાની જવાબદારી રાજ્યો ઉપર છોડશે કેન્દ્ર
કૃષિ કાયદાનો અમલ કરવાની જવાબદારી રાજ્યો ઉપર છોડશે કેન્દ્ર
નવીદિલ્હી: ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે છેલ્લા 44 દિવસથી આંદોલન ચલાવી રહેલાં ખેડૂતોને મનાવવા સરકાર આજે નવમી વખત ખેડૂત આગેવાનો સાથે મંત્રણા કરવા જઈ રહી છે અને આજની આ બેઠકમાં કૃષિ કાયદાને લાગુ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર રાજ્યો ઉપર છોડે તેવી દરખાસ્ત ખેડૂતો સમક્ષ રજૂ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. ગુરૂવારે ખેડૂતોએ દિલ્હીની ચારે’ય સરહદો ઉપર ટ્રેકટર માર્ચ કાઢી શક્તિ પ્રદશર્ર્ન કર્યાં બાદ…
View On WordPress
0 notes
સિહોર નગરપાલિકા આપણા દ્વારે, હવે દરેક વોર્ડ વિસ્તારોમાં ફરિયાદ નિવારણ કેમ્પ યોજાશે
દરેક વોર્ડ વાઇઝ અધિકારી કર્મચારીઓની હાજરીમાં કેમ્પનું થશે આયોજન, આજે બેઠક તાત્કાલિક બેઠક બોલાવી, નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમનું પ્રજાલક્ષી પગલું
હરેશ પવાર
સિહોર નગરપાલિકા હવે આપના દ્વારે દરેક વોર્ડમાં તમામ વિભાગના જવાબદાર અધિકારીની ઉપસ્થિત માં ફરિયાદ નિવારણ કેમ્પ યોજાશે. મન હોય તો માળવે જવાય અને કામગીરી માટે નિર્ણય શક્તિ પણ આવશ્યક છે.તે જોતા નવનિયુક્ત સિહોર નગરપાલિકાના પ્રમુખ વી.ડી.નકુમ, ચીફ ઓફિસર જે.એલ દવે સાથે નગરસેવકોની ઉપસ્થિત તત્કાલ બેઠક મળી હતી હવેના દરેક સપ્તાહ દરમિયાન "સિહોર પાલિકા આપના દ્વારે"..જે દરેક વોર્ડ માં દરેક સપ્તાહ દરમિયાન ચીફ ઓફિસર તેમજ સ્થાનિક વોર્ડ ના નગરસેવકો અને તમામ વિભાગના સુપરવાઈઝર નો એક મંડપ માં કેમ્પ યોજવામાં આવશે જેમાં નળ. ગટર પાણી સ્ટ્રીટલાઈટ બાંધકામ. ટેક્સવિભાગ.દબાણ. સેનેટરી સહિત ના સુપરવાઈઝર ઉપસ્થિત રહેશે અને ખાસ કોઈપણ પ્રકારની ફરિયાદ હોય જે ૪૮ કલાક માં ઉકેલવા પ્રયાસો હાથ ધરવામાં આવશે
તેમજ સરકાર દ્વારા જે ભૂતિયા નળ કનેક્શન હોય તેમને રૂ ૨૦૦૦ને બદલે માત્ર ને માત્ર રૂ. ૫૦૦માં -કાયદેસર કરી દેવામાં આવશે જે આ સરકાર દ્વારા ૩માસ માટે છૂટ છાંટ અપાશે નગરપાલિકા આપના દ્વારે ના કાર્યક્રમ અંતર્ગત ઓટો રીક્ષા માં માઇક લાઉડ સ્પીકર સાથે ફેરવવામાં અને એક દિવસ અગાઉ જાણકારી આપવામાં આવશે પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવશે.અને ઝડપી અને યોગ્ય રીતે કામગીરી હાથ ધરવા માટે આવતા સપ્તાહે પ્રથમ શરૂઆત વોર્ડ ન.9.થી કરવામાં આવશે અને એક જાહેર સ્થળ ઉપર પાલિકા દ્વારા મંડપ વ્યવસ્થા સાથે બેઠક રાખી કોઈપણ પ્રકારની કામગીરી માટે તે સ્થળે ડોક્યુમેન્ટ આધારો સાથે રાખી યોગ્ય રીતે સરળતાથી કામગીરી ઉકેલ સાથેઅભિગમ આપનાવવા માં આવશે..અને
Read the full article
0 notes
#પિતા આ શબ્દ એક એવો શબ્દ છે જેને કવિતા કે પુસ્તકમાં પણ સમાવી નથી શકાતો.. કારણ કે પિતા શબ્દનું મહત્વ તો ત્યારે જ સમજાય છે જ્યારે કોઈ પુરુષ પિતા બને છે.. અને પિતા બનતાંની સાથે જ એ પોતાના બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પોતાના સપનાને તોડી નાખે છે અને બાળકોની એક ખુશી માટે આખી દુનિયા સાથે લડવા તૈયાર થઇ જાય છે.. એક પિતાને પણ દુઃખ થાય છે જ્યારે એનો પુત્ર કે પુત્રી એની સાથે દુર્વ્યવહાર કરે છે પણ હકીકત એમ નથી હોતું જ્યારે બાળકો પોતાની રીતે સ્વતંત્ર થઈ જાય અને પોતે પોતાના ભવિષ્ય માટે નિર્ણય લેવા લાગે છે.. બસ ખાલી બાળકોને એમ જ હોય છે કે તેમના પિતા તેમની વાત સમજવા તૈયાર નથી હોતા અને આ બધું ત્યારે જ થાય છે જ્યારે બાળક ભવિષ્યની લાલશામાં પોતાના આજને ભૂલી જાય છે.. એક બાળક તરીકે હું દરેક બાળકને એક જ વાત કહીશ કે મહેરબાની કરીને તમે એક વાર પ્રેમથી તમારા માતાપિતાને સમજાવવા પ્રયાસ કરી જુઓ અને મારી એક વિનંતી પિતાને પણ છે સમયની સાથે તમે પણ તમારા બાળકોની ભાવનાને સમજવાની કોશિશ તો કરી જુઓ.. કદાચ આજે પણ તમારા માટે તમારા બાળકો નાના જ છે પણ આજના સમયમાં જે પરિસ્થિતિ અને સંજોગો છે એના કારણે તમે બાળકોને સમજી નથી શકતા અને બાળકોને પણ એક જ વાત કહીશ કે એવું નથી કે તમારા માતાપિતા તમને સમજવા તૈયાર નથી પણ તમે હજુ સુધી એમની માટે નાના બાળક સમાન જ છો.. તેટલા માટે જ તો લગ્ન પછી પણ એક પિતા તેના બાળકોને શિક્ષણ આપવાનું ભૂલતો નથી કારણ કે તમે તમારા પરિવારના શોખ પૂરા કરવા માટે તૈયાર છો કે નહીં તે અંગે ફક્ત તમને એક પિતા જ સમજાવી શકે અને એ બાળકને પણ ત્યારે જ ખબર પડે છે જ્યારે તે ખુદ એક બાળકનો પિતા બને છે.. તેથી જ તો દુનિયાના મહાન લેખકો પણ આ વાત પોતાના પુસ્તક કે કવિતાઓ સમાવી નથી શક્યા.. પિતા વિશે એક સુવિચાર છે જે કદાચ પિતા શબ્દનું મહત્વ સમજાવી શકે છે.... 'પિતા જીવન છે ,સંબળ છે ,શક્તિ છે ,પિતા સૃષ્ટીના નિર્માણની અભિવ્યક્તિ છે..' #yqbaba #yqdidi #yqtales #yqthoughts #qotd #yqquotes #yqtales #yourquote #quote #stories #qotd #quoteoftheday #wordporn #quotestagram #wordswag #wordsofwisdom #inspirationalquotes #writeaway #thoughts #poetry #instawriters #writersofinstagram #writersofig #writersofindia #igwriters #igwritersclub (at India) https://www.instagram.com/p/B0yyGmOge0G/?igshid=fb6cpm1z46ol
0 notes
યોગ્ય સમયે ન લેવાતા નિર્ણયો વિનાશ વેરે છે પછી તે મહાભારત નું યુદ્ધ હોય કે કાશ્મીર ની સળગતી સમસ્યા
આપણે સોં વાતે વાતે એવું કેહતા હોઈએ છીએ કે સમય હતો એ સમયે જો નિર્ણય લઇ લીધો હોત તો આજે સમસ્યા ન હોત અને આવી ઘટના ઓ પ્રાચીન કાળ હોય મધ્યકાળ હોય કે પછી વર્તમાન હોય ઘટનાઓ આપની સામે સતત આવ્યા જ કરતી હોય છે. મહાભારત ના યુદ્ધ પૂર્વે અનેક ઘટનાઓ એવી હતી કે યોગ્ય નિર્ણય થયા હોત તો કદાચ મહાભારત નું યુદ્ધ જ ન હોત.દા.ત જયારે પાંડવો માલ મન્તા રજવાડું હાર્યા પણ ત્યાં અટકી જવાનો નિર્ણય કર્યો હોત તો ઘણું સારું થાત. પરંતુ તેઓ અટકવાનો નિર્ણય ન કરી શક્ય અને દ્રૌપદી ને દાવ માં મૂકી અને અણી સાથે જ મહાભારત ના યુદ્ધ માટે ના મંડાણ થયા, એના પછી પણ જયારે દ્રૌપદી ના ભરી સભામાં દુશાસને ચીર હરણ કાર્ય ત્યારે અનેક લોકો એ સભામાં એવા હતાકે એ ઘટના ને રોકી શકવા માટે સમર્થ હતા પણ ભીષ્મ પિતામહ સહીત કોઈએ પણ એ દુષ્કૃત્ય ને અટકાવવાનો નિર્ણય ન કર્યો જો નિર્ણય થયો હોત તો મહાભારતના યુધ્ધમાં દુશાસન ના રક્તથી વાળ બંધ્વાનીભાયાનક ઘટના ન ઘટી હોત આ સિવાય પણ અનેક બનાવો એવા હતા કે યોગ્ય સમયના યોગ્ય નિર્ણયો થયા હોત તો મહાભારત જેવું ભયાનક યુદ્ધ ન થયું હોત.
રામાયણ માં મંદોદરી ની સલાહ માની રાવણે સીતા ને મુક્ત કરવાનો જો નિર્ણય કર્યો હોત, આગ જેવા તપાવેલા થાંભલાને બાથ ભરીને બચ ગયેલા પ્રહલાદની વધુ પરીક્ષા નહિ કરવા માટે હિરણ્યકશ્યપે જો નિર્ણય કર્યો હોત તો ઘણું બધું અટકી શક્યું હોત.
ભારતના આઝાદી ના ઇતિહાસમાં પણ એવું જ ૧૯૫૭ન સ્વાતંત્રસંગ્રામમાં સામુહિક નિર્ણયની ધીરજ ન રાખવા નો નીરનાય આઝાદી ને ૯૦ વર્ષ પાછા;લ ધકેલી ગયો, આઝાદ થયા ત્યારે કાશ્મીર માટે ની અનિર્ણાયક સ્થિતિ ભારતને આઝાદી પછીના ૭૦ માં વર્ષે પણ દુખી કરે છે.સરસર પટેલ ની કુશળતા, નીડરતા ,નિર્ણય શક્તિ ને પારખતી ભારત ની પ્રજા અને એ વખતની કોંગ્રેસ સમિતિ ઓ એ બળવો કરવાનો નિર્ણય ના કર્યો તે પણ કદાચ દેશની અધોગતિ જ સબીત્ત થઇ આજે ખુબ જ લોકો એવું કહે છે. કે આઝાદ ભારત ના પહેલા વડા પ્રધાન સરદાર હોત તો દેશની કાશ્મીર માટે ની કે વારવાર વર્ષો સુધી થયેલા કોમી હુલ્લડો ભારતમાં થયા ન હોત પણ સમયસર નિર્ણય ના થયો.
ઘણી વિકટ પરીસ્થીતી ઓ હોય છે. વાત કરવામાં સહેલી પણ નિર્ણય લેવામાં ખુબ અઘરી સ્થિતિ હોય છે પરંતુ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદ��� જે રીતે નિર્ણયો કરે છે તે જોતા એટલું તો સ્પષ્ટ જ થાય છે કે નરેન્દ્ર મોદી જ્યાં સુધી દેશના સુકાને હશે ત્યાં સુધી અનેક આવી ઘટનો જે ભારત ના ઇતિહાસમાં કલંકિત રીતે લખી છે, તેવી આગળ ઉપર નહિ બને. દા.ત. સર્જીકલ સ્ટ્રાઈક એ નરેન્દ્રભાઈ ના નિર્ણય કરતા લક્ષ્કારની તાકાત ને પ્રદર્શિત કરવાની ઘટના ગણી શકાય અને વડાપ્રધાન હોય ના હોય પણ લશ્કર શક્તિ શાળી છે. ધારે તે કરી શકે એ વાત નરેન્દ્રભાઈ ના સર્જીકલ સ્ટ્રાઈક ના નિર્ણય થી સાબિત થઇ ગઈ, નોટો બંધ કરવાની વાત કેવડો મોટો જટકો કરોડો લોકોએ ૮ નવેમ્બર ૨૦૧૬ ની રાતે ૮ વાગ્યે અનુભવ્યો? શું બહાર આવ્યું શું ના આવ્યું ? એતો સમય જ કહેશે પણ એક વાત તો પાક્કી જ થઇ કે લોકો ખોટું વિચારતા હોય એ એટલું વિચારવા મજબુર બની જ ગયા કે નરેન્દ્ર મોદી ગમે તગે કરી શકે. ખુબ લાંબી વાતો ખુબ બધી ઘટનાઓ એવી છે કે નિર્ણય લઇ શકાય તો મહાભારત, ભારત કે આપના પોતાના જીવનની અનેક ઘટનાઓ ને બદલી શકાય પણ નસીબ માં હોય તે થાય એ વાત માંથી બહાર આવવું પડે પછી ભલે જે નસીબ માં હોય તે થાય.
0 notes
પહેલા સમાજના કલ્યાણનું વિચારીએ પછી મંદિરોના નિર્માણ તરફ નજર કરવી જોઈએ: સરદારધામ
પહેલા સમાજના કલ્યાણનું વિચારીએ પછી મંદિરોના નિર્માણ તરફ નજર કરવી જોઈએ: સરદારધામ
દરેક સમાજે દસ વર્ષ કુરીવાજો માથી મુક્ત થઈને યુવાશક્તિ ના વિકાસ પાછળ ખર્ચ કરવો જોઈએ.
સમાજ નિર્માણ માથે રાષ્ટ્રનિર્માણ ના વિચાર સાથે કાર્ય કરતી સંસ્થા દ્વારા સર્વે સમાજના કુરિવાજો દૂર કરવા માટે સંમેલન યોજવામાં આવ્યો દ્વારા સંમેલનમાં રાજ્યના વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા જેમાં તેઓએ કુરીવાજો અંધશ્રધ્ધા દુર કરીને યુવા શક્તિ માં યોગદાન આપવા માટેનો નિર્ણય કર્યો હતો સમાજમાં જોડાયેલા તમામ ખર્ચ ઘટાડીને…
View On WordPress
0 notes
‘તારીખ પે તારીખ’ શક્તિ પરીક્ષણ અટકી પડ્યું, હવે સોમવારે નિર્ણય, કુમારસ્વામીએ કહ્યું- રાજ્યપાલે લવલેટર મોકલ્યો છે
‘તારીખ પે તારીખ’ શક્તિ પરીક્ષણ અટકી પડ્યું, હવે સોમવારે નિર્ણય, કુમારસ્વામીએ કહ્યું- રાજ્યપાલે લવલેટર મોકલ્યો છે
બેંગ્લુરુ: કર્ણાટકમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ-જેડીએસ સરકાર અને રાજ્યપાલ વચ્ચે સંઘર્ષનો માહોલ બની ગયો છે. બહુમતી સાબિત કરવા રાજ્યપાલે બે વાર ડેડ લાઈન નક્કી કરી પણ સરકારે તેને અવગણી શુક્રવારે વોટિંગ કરવા દીધું નહોતું. મોડી સાંજે ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવાઈ.
રાજ્યપાલનો બીજો લવલેટર આવ્યો
સ્પીકર રમેશે કહ્યું કેસોમવારે વિશ્વાસ મતની પ્રક્રિયા પૂરી કરી દેવાશે. રાજ્યપાલે ગુરુવારે…
View On WordPress
0 notes
આ સુવિચાર બદલી દેશે તમારૂ જીવન
આ સુવિચાર બદલી દેશે તમારૂ જીવન
* કરતો હશે ઈશ્વર પણ આજે ફરિયાદ, મતલબ નીકળી ગયા પછી કોઈ નથી કરતુ ફરીયાદ.
* રોજ દુઃખમાં પણ હસી બતાવવાની શક્તિ આપે છે, ઈશ્વર આનાથી વધારે હજુ કેટલો દયાળુ હોય ?
* કિનારાનીતો ખાલી ખોજ છે અહીં, બાકી જીવવાની મોજ તો મધદરિયે જ છે
* સાવ સાદા વિચારો જોડે લઈને ચાલો દોસ્ત, દુનિયા આપોઆપ તમને અનોખા સમજશે
* જીંદગીમાં અમુક વળાંક એવા હોય છે, જ્યાં સમજણ અને સત્ય હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી
* આંખે જોયેલી અને કાને…
View On WordPress
0 notes
શું તમે માનશો? લંકાદહન હનુમાનજીને કારણે નહિ પણ મા પાર્વતીને કારણે થયું હતું
તમને
કોઈ પૂછે કે લંકા દહન કોણે કર્યું હતું તો આપ, અચૂક હનુમાનજીનું જ નામ કહેશો, પણ હું જો એમ કહું કે લંકાદહન હનુમાનજીને કારણે નહીં પણ મા પાર્વતિજીના કરણે થયું હતું તો. જીહાં આપણા ધર્મગ્રંથોમાં એકજ પ્રસંગને લઈને વિવિધ પ્રકારની અનેક કથાઓ સંકળાયેલ જોવા મળે છે, અને આવીજ એક કથાની માહિતી પ્રાપ્ત થાય છે લંકા દહનને લઈને.
કથા
પ્રમાણે, જ્યારે ત્રેતાયુગમાં શ્રી હરિ વિષ્ણુએ શ્રીરામનો અવતાર ધારણ કર્યો, તો તેમની મદદ કરવા મહાદેવે પણ હનુમાનજીના રૂપે પૃથ્વી પર અવતાર ધારણ કરવાનો મહત્વનો નિર્ણય લેવો પડ્યો. આ સમયે મા પાર્વતી શિવજી વગર કેવી રીતે રહેશે તે વિચારી અતિ ઉદાસ થઈ ગયા, તેમણે પણ શિવજી સાથે પૃથ્વી પર જન્મ ધારણ કરવાની ઈચ્છા જાહેર કરી. પણ મહાદેવે તેમને સમજાવતા કહ્યું કે, ''હે ઉમા હું મા અંજનીના બાળબ્રહ્મચારી પુત્રના રૂપે જન્મ લેવાનો છું, અને આથી તે રૂપમાં આપણો મિલાપ નઈ થઈ શકે.
ત્યારે મા પાર્વતીએ મહાદેવને જણાવતા કહ્યું કે, 'હે નાથ હું આપની પૂંછના રૂપે આપની સાથે હંમેશા રહિશ. આ રીતે મારુતિમાં શિવ અને શક્તિ બન્નેયનો સંયુક્ત અંશ હશે, જેના કારણે તે પરમ શક્તિશાળી કહેવાશે. ભગવાન શિવશંકરે પાર્વતીજીની આ વાતને કબૂલ કરી હતી.
આપણા
પ્રાચીન શાસ્ત્રોમાં પણ એ વાતનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે, કે હનુમાનજીની પૂંછને મા જગદંબાના આશિષ હતાં. તેને કોઈ પણ અસ્ત્ર થકી હાની ન થતી, ન માત્ર આટલું પણ તેજ પૂંછની મદદથી જ હનુમાનજીએ લંકાદહન જેવા અવિસ્મરણીય કાર્યને પૂરું કર્યું હતું.
Read the full article
0 notes
૧૨. વિચારોની વખારમાં!
Warehouse of Thoughts
અમારા કાર્યાલયમાં એક જગ્યા પડી. એક પરિચિત ભાઇને આ વાતની ખબર પડી એટલે તેઓએ અરજી કરી અને પછી રૂબરૂ મળવા આવ્યા. એમની આવડત કે કાબેલિયત વિષે કોઈ જ માહિતી ન હોતી આથી તેઓ જ્યાં નોકરી કરતા હતા ત્યાં એમની કામગીરી કેવી છે. એનો અંદાજ મેળવવાનો ખ્યાલ આવ્યો. યોગાનુયોગ ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એ ય પરિચિત નીકળ્યા. એમને સહેજ પૂછપરછ કરી અને આ ભાઈની કાબેલિયત વિષે જાણવાની ઈચ્છા વ્યકત…
View On WordPress
0 notes
રક્ષા મંત્રાલયે 6 સબમરીનના નિર્માણને આપી મંજૂરી
રક્ષા મંત્રાલયે 6 સબમરીનના નિર્માણને આપી મંજૂરી
ભારતીય નૌસેનાની શક્તિ વધારવા માટે શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. રક્ષા મંત્રાલયે પ્રોજેક્ટ-75 India હેઠળ 6 સબમરીનના નિર્માણને મંજૂરી આપી દીધી છે. ઘણા લાંબા સમયથી આ પ્રોજેક્ટ અટકી પડ્યો હતો જેને હવે મંજૂરી મળી ગઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં 50 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટને સ્વદેશી કંપની મઝગાંવ ડોક્સ…
View On WordPress
0 notes
ગુજરાત ની રાજનીતી અનામત આંદોલન ને સર્મપીત થઈ ગઈ છે. અનામત એ સંવેદનશીલ મુદો છે... અનામત એ વિકાશીલ રાષ્ટ્ર ને વિકસીત રાષ્ટ્ર તરફ લઈ જવામા અડચણ રુપ છે.. અનામત ને રાષ્ટ્રીય મુદો બનાવી ને રાજનીતિ ના કરાઈ દરેક રાજ્ય મા દરેક સમાજના યુવાનો અનામત દ્વારા જ ઉજ્જવળ ભવિષ્ય થાય તેવું માનતા હોય તો રાષ્ટ્રના યુવાનો ના ભવિષ્ય માટે અને રાષ્ટ્રને વિકસીત કરવા માટે અનામત ને જ હટાવી તે યોગ્ય નિર્ણય છે... યુવા શક્તિ ભારત માતા કી જય જય જય હિન્દુસ્તાન 🙋🏻♂️ જય હિન્દ 🙋🏻♂️ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
0 notes
શિવજીનું સ્વરૂપ
શિવજીની ઉત્પત્તિથી તેમના બે વિવાહ વચ્ચેની કથા આપણે ‘શિવપુરાણ’ના માધ્યમથી જાણી. તેનો તત્ત્વાર્થ જાણ્યો. શિવજીનું જે સ્વરૂપ છે તેનું ચિંતન પણ જરૂરી છે. શિવજી આજના જમાનાના કોઈ પણ યુવાનને રોકસ્ટાર લાગે. લાંબા વાળ, કપાળે ત્રિપુંડ,સાપ સાથે ત્રિશૂળ, ડમરુ, વ્યાઘ્રચર્મનું આસન, પૌરુષત્વથી છલોછલ ચહેરો અને શરીર, માથા પર અર્ધચંદ્ર અને ગંગા, હાથમાં કોણીથી સહેજ ઉપર અને કાંડા પર રુદ્રાક્ષ, ધ્યાન કરતા હોય ત્યારે શાંત પણ કામદેવ જેવા કોઈએ છંછેડે કે સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ જાય. પતિ તરીકે પણ કેવા આદર્શ? સતીને રામની પરીક્ષા કરવાનું મન થયું તો જવા દીધા, પરંતુ પછી તેમનો માનસિક ત્યાગ કર્યો. સતીએ પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં આમંત્રણ નહોતું તો પણ જવા જીદ પકડી તો પહેલાં સમજાવ્યાં, પરંતુ ન માન્યા તો જવા દીધાં. હુકમ ન આપ્યો કે જોરજબરદસ્તી ન કરી કે હું તો આ સૃષ્ટિનો રચયિતા. તમારે હું કહું તેમ જ કરવાનું હોય. પતિની આજ્ઞા માનવી જ પડે. સતીએ આત્મવિલોપન કર્યું તે જાણ્યું ત્યારે પતિ તરીકે કેટલા ગુસ્સે થઈ ગયા! દક્ષના યજ્ઞને છિન્નભિન્ન કરી નાખ્યો. તાંડવ કર્યું અને સતીના મૃતદેહને લઈને ફર્યા. વિષ્ણુ ભગવાને રુદ્રના ક્રોધને શાંત કરવા પોતાના ચક્રથી સતીના દેહના બાર ટુકડા કરી નાખ્યા અને આ ટુકડા જ્યાં પડ્યા તે શક્તિપીઠ બની ગયા.સતીના મૃત્યુ પછી શિવજી સાવ વિરક્ત બની ગયા. ભારે મનોમંથન પછી શિવજીએ પાર્વતી સાથે બીજાં લગ્ન કર્યાં અને તેનો હેતુ પણ માત્ર સાત્વિક હતો - તારકાસુરનો વધ કરવા કાર્તિકેયનો જન્મ જરૂરી હતો. લગ્નનું નક્કી કરતાં પહેલાં પાર્વતીની વારંવાર પરીક્ષા લીધી. તેમને ભરપૂર સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ એક વાર લગ્નનો નિર્ણય લઈ લીધો તે પછી સાસુ મેનાને તેમનું રૂપ પસંદ ન પડ્યું તો તેમને ગમે તેવું સુંદર રૂપ પણ ધારણ કર્યું. અને લગ્ન પછી પાર્વતી સાથે પ્રીતિ પણ દર્શાવી- લગ્ન કરીને કૈલાસ પર્વત પર પહોંચ્યા કે તરત તેમણે પાર્વતી સાથે ગયા જન્મની વગેરે વાતો કાઢી. પાર્વતીએ કહેવું પડ્યું કે પહેલાં દેવતાઓની સરભરા કરી લઈએ, પછી વાત.જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે ઝેર કોણ પીવે? એ માટે શિવજી આગળ આવ્યા. તેમણે ઝેર પીધું અને પીધું પણ તેને પચાવી પણ જાણ્યું. તેને ગળેથી ઉતારી ન ગયા. ગળામાં જ રાખ્યું. જેણે શિવ થવું હશે, જે સમગ્ર સૃષ્ટિના કલ્યાણની ચિંતા કરતા હશે તેણે ઝેર પીતા અને તેને અટકાવતા પણ શીખવું પડશે. જ્યારે ભગીરથે ગંગાને પૃથ્વી પર અવતરિત કરવા માટે તપ કર્યું ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગંગા પૃથ્વી પર તો આવશે, પરંતુ તેનો વેગ એટલો પ્રચંડ છે કે તે સ્વર્ગમાંથી ઊતરીને સીધી પૃથ્વી પર આવશે અને સમગ્ર પૃથ્વીને વહાવીને લઈ જશે. આથી જો શિવજી તેને પોતાની જટામાં રોકી લે તો તેનો વેગ મંદ પડી જાય. અને ભગીરથ શિવજીની તપસ્યા કરે છે. શિવજી પોતાની જટામાં ગંગાને ઝીલે છે અને પછી ત્યાંથી તે પૃથ્વી પર આવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે તેને એવી રીતે જોઈ શકીએ કે ગંગાનો પ્રચંડ ધોધ સ્વરૂપને શિવજીએ વૈજ્ઞાનિક-એન્જિનિયરિંગ ઢબે એવી રીતે વાળ્યો હશે કે જેથી તે છેક બંગાળની ખાડી સુધી પહોંચે. શિવજીની જટાના શું અર્થ હોઈ શકે? બહુ સીધો તર્ક સામાન્ય રીતે નીકળે. શિવજી મુખ્યત્વ��� તપ કરતા હતા. વળી ઊંચે કૈલાસ પર્વત પર તેમનું સ્થાન હતું. સ્વાભાવિક જ તપમાં ખલેલ ન પડે તેથી વાળ વધારતા હશે. આવું વિચારી શકાય, પરંતુ અધ્યાત્મચિંતકોએ તેનો અર્થ એવો કાઢ્યો છે કે શિવજીની જટા વાયુમંડળનું પ્રતીક છે. શિવજી વાયુના પણ ભગવાન છે. વાયુ વગર સૃષ્ટિ સંભવ નથી. આથી તેઓ જીવનના દેવતા છે. તેમની જટામાંથી ગંગાનો પ્રવાહ નીકળે છે. આનો આપણે ઉપર એક અર્થ જોયો કે તેમણે એન્જિનિયરિંગની રીતે ધસમસતી ગંગાના પ્રવાહને ચેનલાઇઝ કરીને તેને યોગ્ય માર્ગે વાળી હશે, પરંતુ અધ્યાત્મિક રીતે અર્થ એવો નીકળે છે કે તેમના મસ્તિષ્ક પર ગંગા ધારણ કરે છે. ગંગા એટલે શુદ્ધ સાત્વિક જળ. શંકર ભગવાનને ગુસ્સો ખૂબ જ આવે. કોઈ પણ મનુષ્યને આવે, પરંતુ તેને મહદંશે શાંત રાખવું જરૂરી છે. જ્યારે સતીના યોગાગ્નિમાં ભસ્મ થઈ જવા જેવી કે કામદેવ વારંવાર પરેશાન કરે તેવી ઘટના બને ત્યારે ગુસ્સો કરવો અનિવાર્ય પણ બને છે, પરંતુ નાનીનાની વાતમાં ગુસ્સો તપસ્વી માટે કે કોઈ પણ વ્યક્તિ માટે સારો નથી. આથી માથા પર જળ રેડવું. તેમની ત્રીજી આંખની વાત કરીએ. ત્રીજી આંખ એટલે ડહાપણ. ત્રીજી આંખ એટલે બે નરી આંખે દેખાતી ચીજોને જ સાચી ન માની લેવું. ઘણી વાર આપણે જે સગી આંખે જોતા હોઈએ કે કાને સાંભળતા હોઈએ તે સાચું ન પણ હોઈ શકે.એક પ્રચલિત વાર્તા છે. એક રાજા કોઈ કા��સર (ધારો કે યુદ્ધ) બહારગામ ગયો. તે તેની રાણી અને તેના નાનકડા દીકરાને છોડીને ગયો હતો. થોડાંક વર્ષો પછી તે પાછો આવ્યો ત્યારે યુદ્ધની ભાંજગડમાં ભૂલી ગયો કે તેનો દીકરો હવે યુવાન બની ગયો હશે. રાત્રે આવીને તેણે જોયું તો રાણી કોઈ પારકા પુરુષ સાથે સૂતી હતી. આ જોઈને રાજાને ક્રોધ આવી ગયો. રાજાએ એ પુરુષને મારવા તલવાર ઉગામી. પણ સ્ત્રી ઊંઘમાંય સાવધ હોય છે. તેનું આજ્ઞાચક્ર ઘણી વાર તેને ઊંઘમાંય અણસાર આપી દેતું હોય છે. રાણી જાગી ગઈ અને તેણે રાજાનો હાથ પકડી લીધો. રાજાને કહ્યું કે આ શું કરો છો? આ તો આપણો દીકરો છે.જ્યારે પણ કોઈ પ્રશ્ન, સમસ્યા થાય કે ક્રોધ આવે ત્યારે બે મિનિટ આંખો બંધ કરી આ ત્રીજી આંખ એટલે કે આજ્ઞા ચક્રના સ્થાને ધ્યાન કરવું. કોઈ રસ્તો જડી જશે અને ક્રોધ શાંત થઈ જશે. આ જ રીતે શિવજીના માથા પર અર્ધચંદ્ર પણ દર્શાવાયો છે. એ બહુ જાણીતી વાત છે કે ચંદ્રની અસર મન પર થાય છે. ચંદ્રની અસર પાણી પર પણ થાય છે. પૂનમ હોય છે ત્યારે ભરતી આવે છે અને અમાસ હોય છે ત્યારે ઓટ આવે છે. આપણા શરીરમાં કુલ ૭૫ ટકા પાણી હોય છે. તો સ્વાભાવિક છે કે તેના પર પણ ચંદ્રની અસર થાય. જોકે આ બહુ સૂક્ષ્મ માત્રામાં હોય છે, પરંતુ તેમાંય જ્યોતિષની રીતે ચંદ્રના અંશ, ચંદ્ર કઈ રાશિમાં છે વગેરે બાબતો ધ્યાનમાં રખાય છે. પણ સામાન્યતઃ પૂનમે પાગલપણું વધે છે તેવી આપણે ત્યાં જ નહીં વિદેશોમાં પણ માન્યતા છે. વિદેશોમાં પૂનમના દિવસે વેમ્પાયર, વેરવૂલ્ફ બહાર આવે છે તેવી માન્યતા હતી. હકીકતે આ ગપ્પું નથી, કે દંતકથા નથી. આનો કહેવાનો અર્થ એ કે તે દિવસે મનુષ્યોમાંનું પશુત્વ બહાર આવે છે. ડેઇલી મેઇલ નામના બ્રિટનના એક અખબારમાં વર્ષ ૨૦૦૯માં આ અંગે એક અહેવાલ છપાયો હતો. અહેવાલમાં ઑસ્ટ્રેલિયાના એક સંશોધનને ટંકાયું છે. ઑસ્ટ્રેલિયાના આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે વેરવૂલ્ફ જેવા કહી શકાય તેવા (મતલબ પશુ જેવા) ૯૧ ઇમર્જન્સી પેશન્ટોને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ હિંસક અને ખૂબ જ અશાંત હતા. અને આ દર્દીઓએ હોસ્પિટલના સ્ટાફ પર પશુની જેમ બટકા ભર્યાં હતાં. તેમના પર થૂંક્યા હતાં. ઉઝરડા પાડ્યા હતા.વર્ષ ૨૦૦૮માં બ્રિટીશ સંશોધકોને જણાયું હતું કે દર્દીઓએ માથું દુખવાની, હાથ પગ વગેરેમાં ખાલી ચડી જવાની (સંવેદનશૂન્યતા), એકબીજા અવયવો વચ્ચે સંકલન, સ્ટ્રોક વગેરેની ફરિયાદ કરી હતી, પરંતુ તબીબોએ તપાસ્યું તો આવું કંઈ હતું નહીં. મતલબ કે દર્દીઓને માનસિક રીતે જ આવું લાગતું હતું. આમ સંશોધકોને ચંદ્રની અસર અને તબીબી રીતે ન સમજી શકાય તેવાં લક્ષણો વચ્ચે કડી જણાઈ હતી. બ્રિટનના ડેઇલી એક્સ્પ્રેસના વર્ષ ૨૦૦૯ના એક અહેવાલમાં નોંધાયું હતું કે ૭,૨૦૦ દર્દીઓ પૈકી ૧૨૯ દર્દીઓને ખોટા સ્ટ્રોકનાં લક્ષણો અનુભવાયાં હતાં. જ્યારે તેમણે કેલેન્ડર તપાસ્યું ત્યારે ખબર પડી કે તે પૂર્ણિમાનો દિવસ હતો. તારણ એ નીકળ્યું કે આ રહસ્યમય સ્ટ્રોકનું કારણ તબીબી કરતાં વધુ માનસિક હતું. આ અહેવાલમાં આગળ નોંધ્યું છે કે ભારતીય વૈજ્ઞાનિકોના મત પ્રમાણે, જ્યારે પૂનમની આસપાસ સ્ત્રીને બીજ છૂટું પડતું હોય ત્યારે જો સંબંધ બાંધવામાં આવે તો તેને દીકરો જન્મવાની શક્યતા વધુ રહે છે. બ્રાઝિલમાં સાઓ પૌલો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેંચ અથવા આંચકીમાં અણધાર્યાં મોતનાં આઠ વર્ષનાં કિસ્સાઓ તપાસ્યા તો નોંધ્યું કે તેમાંથી ૭૦ ટકા મૃત્યુ પૂનમના દિવસે થયા હતા.આ જ રીતે અમાસની પણ મન પર અસર થાય છે. ઓટ થાય એટલે પાણી જતું રહે. એમ અમાસના દિવસે મનમાં ખાલીપો અનુભવાય છે. ડિપ્રેશન થાય છે. ખોટી ખોટી ચિંતા થાય છે. આપણે હવે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવી લીધું છે. પરંતુ હિન્દુ પંચાંગ ચંદ્રની કળા પર ચાલે છે. આપણે ત્યાં પૂનમ અને અમાસનું મહત્ત્વ છે. દર અમાસે યાચક બ્રાહ્મણને અથવા મંદિરમાં જઈને સીધુ આપવાનો રિવાજ હતો. પૂનમના દિવસે સત્યનારાયણની કથા કરવાનો મહિમા પણ આવા જ કોઈ કારણસર હોવો જોઈએ જેથી મનમાં આડાઅવળા વિચારો ન આવે. મન પ્રભુ ભક્તિમાં લાગેલું રહે. શંકર ભગવાનના માથા પર અર્ધચંદ્ર છે તે બતાવે છે કે પૂનમના ચંદ્રની જેમ મનને ઉન્માદી પણ નથી બનવા દેવાનું કે અમાસે ચંદ્ર સાવ ગાયબ થઈ જાય તેમ મનને નિરાશ પણ નથી થવા દેવાનું. મનને સંતુલિત રાખવાનું છે. બીજો મત એવો પણ છે કે સૂર્યને ગરમ જ્યારે ચંદ્રને ઠંડો મનાય છે. તેમ તપ કરતા હો કે કોઈ સારું કાર્ય કરતા હો તો ક્રોધને મન પર વશ થવા દેવાનો નથી. ચંદ્રની જેમ મનને ઠંડું રાખવાનું છે.શંકર ભગવાનના ભૌતિક રૂપની આધ્યાત્મિક ચર્ચામાં આગળ વધીએ. તેમના ગળામાં સાપ જોવા મળે છે. આપણામાંના ઘણાને સાપથી ડર લાગતો હશે. ફિલ્મો કે ટીવીમાં જ્યારે નકલી સાપને અસલી તરીકે દેખાડતા હશે ત્યારે પણ આંખો બંધ કરી જતા હશે. આ ડર કેમ હોય છે? શંકર ભગવાનના ગળામાં સાપ હાર તરીકે કેમ છે?આપણે ત્યાં ધાર્મિક કથાઓનું બહુ મહત્ત્વ છે. કથાની રીતે-રૂપકની રીતે બધું સમજાવવામાં આવ્યું. કેટલીક બાબતો એવી હોય છે જ્યારે તમે સરળતાથી સમજી ન શકો ત્યારે તેને વાર્તા-કથાની જેમ કહેવાય. ઋષિ-મુનિઓ જે વિજ્ઞાન જાણી ગયા હતા તે સામાન્ય માનવીઓને સમજાવવું અઘરું પડે. આજે થ્રીડી વીડિયોની રીતે આપણે જોઈ શકીએ છીએ તોય વિજ્ઞાન દરેકને સમજાય તેવું નથી. તો એ સમયે તો અઘરું હોય જ. એટલે ઘણી કથાઓ ઊપજી હશે. શિવજીના ગળામાં નાગ પાછળની ધાર્મિક કથા એવું કહે છે કે શિવજીના ગળામાં સાપ છે તે વાસુકિ છે. આ નાગ વિશે પુરાણો એવું કહે છે કે તે નાગોનો રાજા છે અને નાગલોક પર તેનું શાસન છે. સાગર મંથન વખતે તેણે દોરડાનું કામ કર્યું હતું. વાસુકિ નાગ શિવના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને નાગલોકના રાજા બનાવી દીધા. સાથે પોતાના ગળામાં આભૂષણની જેમ લપેટ્યા રહેવાનું વરદાન પણ આપ્યું. બીજી એક કથા પ્રમાણે, નાગ જાતિ ખતરામાં આવી ગઈ. આથી તેમણે શિવજી પાસે કૈલાસમાં રહેવા શરણ માગ્યું. શિવજીએ આપ્યું તો ખરું, પરંતુ ઠંડા તાપમાનના કારણે ત્યાં પણ તેમને મુશ્કેલી થઈ. આથી શિવજીએ તેમને ગળામાં રાખ્યા જેથી શરીરની ગરમી તેમને મળે.શિવજીના ગળામાં સાપને મફલરની જેમ કે હારની જેમ વીંટાળવાનો આધ્યાત્મિક અર્થ કાઢનારા તત્ત્વચિંતકો કહે છે કે શિવજીનું એક નામ પશુપતિનાથ છે. આ સૃષ્ટિમાં રહેતા તમામ સજીવોના ભગવાન શિવ છે. શિવજી સુવર્ણ (સોનું) કે ચાંદી વગેરે દુન્યવી વસ્તુનાં આભૂષણો પહેરવાના બદલે સાપને આભૂષણ તરીકે ધારણ કરે છે. કેમ કે સોના-ચાંદી વગેરે દુન્યવી ચીજોની લાલચ, આસક્તિ અસીમ છે. સાપથી લોકોને ડર લાગે છે. સાપના દંશથી મૃત્યુ થવું પણ સંભવ છે, પરંતુ શિવજીના ગળામાં સાપ બતાવે છે કે શિવજી નિર્ભય છે અને જે વ્યક્તિ શિવજીની શરણમાં આવશે તે પણ નિર્ભય બની જશે. તેને કોઈ જાતના પશુ-પંખી, વિષનો ભય નહીં રહે. તેને મૃત્યુ પણ નહીં સતાવે. સાપને કુંડલીની શક્તિના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. શિવજી મહાયોગી છે. યોગવિદ્યાના જાણકારોનું માનવું છે કે કુંડલીની શક્તિ આપણા મૂળાધાર ચક્ર (જે આપણી ગુદા અને જનનેન્દ્રિય વચ્ચે આવેલું છે.)માં સાપની જેમ ગૂંચળું વળીને પડેલી હોય છે, પરંતુ શિવજી મહાયોગી હોવાથી તેમનામાં આ શક્તિ જાગૃત થઈ, ઉર્ધ્વગમન કરીને ઉપર સુધી આવેલી છે. આ ઉપરાંત સાપને ઈચ્છાઓ અને લાગણીઓના રૂપમાં પણ જોવામાં આવે છે. સાપને ગળામાં પહેરીને શિવજી બતાવે છે કે તેઓ તમામ ઈચ્છાઓ અને લાગણીઓથી પર છે. જિતેન્દ્રિય છે. માત્ર શિવજીએ જ નહીં, વિષ્ણુ ભગવાને પણ સર્પનું મહત્ત્વ બતાવ્યું છે. વિષ્ણુ ભગવાન શેષનાગની શય્યા પર શયન કરે છે. સૂર્યનારાયણના રથનું વહન સર્પ કરે છે. ગણેશજી પણ યજ્ઞોપવિત તરીકે સાપને ધારણ કરે છે. નાગપંચમીએ આપણે ત્યાં નાગનું ચિત્ર બનાવીને અથવા સાક્ષાત નાગની પૂજા પણ થાય છે. ગુજરાતીમાં સાપને દૂધ પીવડાવવું અને હિન્દીમાં ‘આસ્તિન મેં સાંપ કો પાલના’ જેવી કહેવત પણ આવી છે. જ્યોતિષની રીતે સર્��� દોષ અને કાળ સર્પ દોષ છે. પૂર્વ જન્મમાં પાપ કર્યાં હોય, પૂર્વજોએ કાળા જાદુ અથવા તંત્ર-મંત્રના પ્રયોગો કર્યા હોય, સાપ કે ભ્રૂણ હત્યા કરી હોય તો આવો દોષ કુંડળીમાં બનતો હોવાનું જ્યોતિષના જાણકારોનું માનવું છે.સાપનું આટલું મહત્ત્વ અને તેનો ડર કેમ છે? વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમજવું પડશે. વૈજ્ઞાનિકો માને છે કે કેટલાક ડર આપણે જન્મજાત લઈને આવીએ છીએ. કેટલાક ક્રમશઃ વિકસિત થાય છે. સાપનો ડર મોટા ભાગે જન્મજાત હોય છે. ફોનની ભાષામાં કહીએ તો ફેક્ટરી મોડ. આધ્યાત્મિક રીતે કહીએ તો પૂર્વ જન્મના વારસામાં કેટલાક ડર કેટલાક ગમા-અણગમા કેરી ફોરવર્ડ થયેલા હોય છે. કેટલાકને ગરોળીથી એલર્જી હોય તો કેટલાકને છછૂંદરથી. કેટલાકને ઉંદરથી. કેટલાકને વાંદાથી. સાપ ક્યારેય કરડ્યા ન હોય તેવી વ્યક્તિને પણ સાપને ટીવી કે ફિલ્મમાં જોતા પણ ડર લાગે તેવું સંભવ છે, પણ આ સાપ, ઉંદર વગેરે જે આપણા શિવજી-ગણેશજી-વિષ્ણુ ભગવાન વાહન તરીકે યા આભૂષણ તરીકે ધારણ કરે છે તે કદાચ લોકોને પર્યાવરણનું સંતુલન સમજાવવા માટે હોઈ શકે. પહેલાંના સમયમાં કૃષિ મુખ્ય વ્યવસાય હતો. ખેતરોમાં સાપ બહુ નીકળે અને સર્પદંશથી મૃત્યુના કિસ્સા બને. આના કારણે સ્વાભાવિક જ સાપને મારી નાખવામાં આવે, પરંતુ જો સાપને મારી નાખવામાં આવે તો તેનાથી પર્યાવરણનું (ઇકો સિસ્ટમ)-ખોરાકનું (ફૂડ ચેઇન) ચક્ર ખોરવાઈ જાય.ખેતીમાં થતા પાકને બગાડતા ઉંદર તેમ જ અન્ય જીવજંતુઓને સાપ ખાઈ જાય છે. વળી સાપ પોતે પણ બીજા પ્રાણીઓનો ખોરાક છે. નોળિયો, દરેક પ્રકારની બિલાડી, ઉત્તર અમેરિકામાં જોવા મળતું વરુ (કોયોટ), જંગલી ડુક્કર અને કેટલાક દેડકા સાપને ખાય છે. જો સાપની પ્રજાતિ નષ્ટ પામે તો આ પ્રાણીઓનો ખોરાક નષ્ટ થાય. આના પરિણામે ખોરાકનું ચક્ર ખોરવાઈ જાય. સાપની કાંચળીનું પણ મહત્ત્વ છે. આ કાંચળીમાં અનેક પોષક તત્ત્વો રહેલાં છે! સાપની કાંચળીથી બેગ, સ્કાર્ફ, પટ્ટો, બૂટ, હેન્ડ બેગ વગેરે બને છે. ખિસકોલી આ કાંચળીને ખાય છે. બીબીસીના ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના અહેવાલ પ્રમાણે, લિવરપુલ (ઈંગ્લેન્ડ)ના સંશોધકો માને છે કે માનવના રોગો માટે સાપના ઝેરમાંથી દવા બનાવી શકાય છે. જોકે, સાપના ઝેરમાંથી માદક ડ્રગ્સ બને છે તે એક દુઃખની વાત પણ છે. ભારતમાં દિલ્હી સહિતના મેટ્રો શહેરમાં યુવાનોમાં કોબ્રાના ઝેરમાંથી બનતું ડ્રગ્ઝ વેલેન્ટાઇન દિવસે, રેવ પાર્ટીઓમાં અને ડિસ્કો થેકમાં યુવાનોમાં ઘણું વેચાય છે. તેનાથી સેન્સેશન વધે છે. શક્તિનો વધારો થયો હોય તેવું લાગે છે. યુવાનો લાંબા સમય સુધી નાચી શકે છે તેવું મનાય છે. દિલ્હીમાં વેલેન્ટાઇન દિવસના એક સપ્તાહ પહેલાં આવા ડ્રગ્ઝનું વેચાણ વધી જાય છે. અંગ્રેજી સમાચારપત્ર ડીએનએના ૧૧ એપ્રિલ, ૨૦૧૫ના અહેવાલ પ્રમાણે, રેટલસ્નેક (અમેરિકામાં જોવા મળતા વિષધર સાપ)ના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવાથી એચઆઈવીને ફેલાતા અટકાવી શકાય છે. નવી દિલ્હીમાં વર્લ્ડ હોમિયોપેથ સમ્મિટમાં સંશોધકોએ આવું સંશોધન રજૂ કર્યું હતું. હૈદરાબાદની જેએસપીએસ ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કૉલેજ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નૉલૉજીના ડૉક્ટરોએ સંશોધન કર્યું હતું કે સાપના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવા ક્રોટેલસ હોરિડસ એચઆઈવીને ફેલાતા અટકાવે છે. આયુર્વેદમાં પણ સાપના ઝેર તેમ જ સાપના શરીરના વિવિધ ભાગોનો ઉપયોગ દવાઓમાં થાય છે.આમ, પર્યાવરણના ચક્રને જાળવી રાખવા માટે, લોકોમાં સાપનો ભય દૂર કરવા, સાપ જેવી મનમાં સળવળતી ઈચ્છાઓ, કામેચ્છાઓને વશ કરવા શિવજીએ ગળામાં સર્પને ધારણ કર્યું હોવાનું માની શકાય. અને અંતે, રમૂજમાં કહેવું હોય તો કહી શકાય કે જો સાપ ન હોત તો રાજકુમાર કોહલીની ‘નાગીન’, હરમેશ મલ્હોત્રાની શ્રીદેવી અભિનીત ‘નગીના’ જેવી સુપરહિટ ફિલ્મો ક્યાંથી હોત? અને અત્યારે એકતા કપૂરની સૌથી વધુ ટીઆરપી મેળવતી કલર્સ ચેનલ પર આવતી ‘નાગીન’ સિરિયલ પણ ક્યાંથી હોત?
Read the full article
0 notes
જોધપુરની કોર્ટમાં ગાય પહોચી, વર્ષથી ચાલી રહેલા ગાયની માલિકીના વિવાદ પર જજે નિર્ણય સંભળાવ્યો
જોધપુરની કોર્ટમાં ગાય પહોચી, વર્ષથી ચાલી રહેલા ગાયની માલિકીના વિવાદ પર જજે નિર્ણય સંભળાવ્યો
અજબ-ગજબ ડેસ્ક: જોધપુરની લોકલ કોર્ટમાં એક આશ્ચર્યમાં મૂકી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. શનિવારે એક ગાયને કોર્ટમાં જાહેર કરવામાં આવી હતી. છેલ્લાં ઘણા સમયથી ગાયની માલિકીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ ઝઘડાએ ધીમે-ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું. હવે ગાય તો બોલી શક્તિ છે નહીં કે એને પૂછીએ કે તારા માલિકનું નામ શું છે! અંતે બંને ફરિયાદીઓએ કોર્ટના પગથિયાં ચડવા પડ્યા.
વકીલે જણાવ્યું કે, ઓમ પ્રકાશ અને…
View On WordPress
0 notes