હું કેવી વાર્તાઓ સંભળાવું
ઉનાળાનું વેકેશન પડવાના આરે, છે ગરમી અને બાફ
હું કેવી વાર્તાઓ સંભળાવું, હોય ખરતા તારાનો સાથ
ચાચા ચૌધરીનું દિમાગ ચાલે કંમ્પ્યુટરથી પણ ફાસ્ટ
હું કેવી વાર્તાઓ સંભળાવું, સાબુ કરે ઉઠક પટાક
કાદવ કીચડમાં કુદીને લેવી પહેલાં વરસાદની મજા
હું કેવી વાર્તાઓ સંભળાવું, પૂર લઈને આવે રજા
ચંપકવનના બોલતા જાનવરોની હતી અલૌકિક દુનિયા
હું કેવી વાર્તાઓ સંભળાવું, એ વનથી કેટલુંય શીખ્યા
શિયાળાની ગુલાબી ઠંડી, ગરમ પાણી અને લીલા શાક
હું કેવી વાર્તાઓ સંભળાવું, સંતાવવા જોઈએ ગરમ પોષાક
લાંબી વર્તા, ટૂંકી વાર્તા, લોકકથા કે પંચતંત્રની ગાથા
હું કેવી વાર્તાઓ સંભળાવું, હોય ભાઈ-બહેનના માંથા
0 notes
૩૦. વસ્ત્રોની પસંદગી અને પસંદગીના વસ્ત્રો!
૩૦. વસ્ત્રોની પસંદગી અને પસંદગીના વસ્ત્રો!
30. Choice of Clothing and Clothing with Choice!
ઉત્તમ વસ્ત્રો વ્યક્તિત્વની શાન વધારે છે.
મહાન સિકંદરનાં કલાકારે દોરેલાં અનેક ચિત્રો જોવામાં ક્યાંક આવ્યા હશે. કલાકારોએ હંમેશાં સિકંદરને સેનાપતિને છાજે એવા બખ્તર-બંધ પહેરવેશમાં જ રજૂ કર્યો છે. સિકંદરની ધોતિયા-ઝભ્ભામાં કે પેન્ટ-બુશર્ટમાં કદી કલ્પના કરી છે? ખરેખર તો આવી કલ્પના કરવાનું પણ અઘરું લાગે છે. એનું કારણ એ છે કે સિકંદરનો પોશાક એની ઓળખાણનું…
View On WordPress
0 notes
અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ નહીં આપવા નિર્ણય
અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ નહીં આપવા નિર્ણય
#banashkantha #gujarat #ambaji #tempel
ભારતીય સંસ્કૃતિની ગરીમા જળવાય તેવો પોષાક પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાની વિનંતી સાથેનું બોર્ડ લગાવાયું
બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. આ પહેલા અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા…
View On WordPress
0 notes
ઇન્ડોનેશિયાનો આ યુવાન રોજ સ્પાઇડરમેનનો પોષાક કેમ પહેરે છે ? https://ift.tt/38juncG
0 notes
આણંદ જિલ્લાનો ઈતિહાસ આણંદ જિલ્લાનો ઈતિહાસ પૌરાણિક કાળ જેટલો જૂનો છે. આણંદ જિલ્લો અણહિલવાડ પાટણ શાસન (ઈસ ૭૪૬ થી ઈસ ૧ર૯૦) અને મુઘલ સામ્રાજય (ઈસ ૧પ૭૩ થી ઈસ ૧૭પ૦) હેઠળ એમ વિવિધ શાસનોનું સાક્ષી રહેલો છે. આજના સમયે ખંભાત (આણંદ જિલ્લાનો એક તાલુકો) તરીકે ઓળખાતુ શહેર એક સમયેકેમ્બે તરીકે દેશ-વિદેશ સાથે વ્યાપારનું મોટું અને સમૃદ્ઘ કેન્દ્ર હતું. ખંભાત અને બોરસદ એ પૌરાણિક કાળથી જ આણંદ જિલ્લાના ગૌરવવંતા અને સમૃદ્ઘ ઈતિહાસની પતાકા ફરકાવી રહ્યા છે. બોરસદ એ પૌરાણિક સ્થળ છે, જે વાલ્મિકી ઋષિના શિષ્ય "બદરમુની", ના નામ પરથી પડેલ છે. મધ્યકાળમાં ખંભાત એ સૌથી સમૃદ્ઘ કહી શકાય એવું એક બંદર અને શહેર હતું અને સાથે-સાથે પર્યટનના સ્થળ તરીકે પણ જાણીતુ હતું. એક સમયે હીરા, માણેક, મોતી, કાપડના તાકાઓ ભરેલા જહાજો ખંભાતના બંદરો પર લાંગરેલા રહેતા અને દુનિયાના કોઈ પણ પ્રદેશમાં જવા તૈયાર રહેતા. કાપડ ઉદ્યોગને કારણે ખંભાતને "દુનિયાનો પોષાક" કહેવાતુ. સમય જતા, નદીઓએ ઘસડી લાવેલો કાંપ અખાતના મુખમાં જમા થવાથી ખંભાતનો બંદર તરીકેનો ઉપયોગ બંધ થઈ ગયો અને બંદર તરીકેની તેની ઉપયોગીતા નાશ પામી અને દરિયાઈ વ્યાપાર ઘટી ગયો. આજે અહીંયા સહેલાણીઓ નથી, વેપારીઓ નથી, મોટા જહાજો અને મોટા મકાનો ભૂતકાળ બની ચૂકયા છે. છતાં પણ, દરિયાકિનારે ઉભા રહી ખંભાતનો દરિયો અને આજુબાજુનો વિસ્તાર જોતાં હૈયાને ટાઢક વળે છે. વિખ્યાત પ્રવાસીઓ "માર્કો પોલો" અને "ઈબ્ન બતૂતા" એ અનુક્રમે ઈસ ૧ર૯૦ અને ઈસ ૧૩૪પ માં ખંભાતની મુલાકાત લીધી હતી. મહાન મુગલ સમ્રાટ અકબરે અને ત્યાર બાદ જહાંગીરે પણ ખંભાતની મુલાકાત લીધી હતી અને તેની યાદગીરી સ્વરૂપે સિકકાઓ પણ બહાર પાડયા હતા. ઇગ્લેંડના મહારાણી એલિઝાબેથ પ્રથમે અકબરને "ખંભાતના મહારાજા" તરીકે સંબોધ્યા હતા. આ જિલ્લાએ વડોદરાના ગાયકવાડ સરકાર તેમજ બ્રિટીશ રાજ ને પણ જોયુ છે. આણંદ ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું ઘર છે. ધ આયર્ન મેન, સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના ભાઇ વિઠ્ઠલભાઇ પટેલ આણંદ જિલ્લાના કરમસદના હતા. ઇસ ૧૮૦૫ માં ખેડા જિલ્લામાં કલેક્ટર નીમવામાં આવ્યા હતા અને ખેડા એક મોટુ થાણુ બન્યુ હતુ. ઇસ ૧૯૩૦ માં ખેડા જિલ્લામાં અમદાવાદ કલેક્ટર હેઠળ સબ કલેક્ટર નીમવામાં આવ્યા. પરંતુ, ઇસ ૧૯૩૩ માં આ બંને જિલ્લા ફરીથી અલગ થઇ ગયા. સ્વતંત્રતા પછી ઇસ ૧૯૪૯ માં ખેડા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. વહીવટી કારણોસર ગુજરાત સરકારે તા. ૧/૧૦/૯૭ થી ૬ નવા જિલ્લાઓની રચના કરી અને તેમાં ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લો એક સ્વતંત્ર જિલ્લા તરીકે ઉપસી આવ્યો. અને આ રીતે નવા આણંદ જિલ્લાનો જન્મ થયો. સ્ત્રોત : વેબસાઈટ #AnandDistrict #Charotar #Anand #Borsad #Khambhat https://www.instagram.com/p/B1c-GOll_nC/?igshid=1b87drquo9oq
0 notes
બુરખા-નકાબ પર બૅનઃ કોઈ પણ રીતે ચહેરો ઢાંકવો હવે રાષ્ટ્રીય અપરાધ ગણાશે
બુરખા-નકાબ પર બૅનઃ કોઈ પણ રીતે ચહેરો ઢાંકવો હવે રાષ્ટ્રીય અપરાધ ગણાશે
કોલંબો: શ્રીલંકામાં 21 એપ્રિલે આતંકવાદી હુમલા પછી સરકારે અભૂતપૂર્વ પગલું ભરતા એવા તમામ પોષાક પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેનાથી ચહેરો ઢંકાઈ જાય છે. આ નિર્ણયની સૌથી મોટી અસર બુરખા અને નકાબ પહેરતી મહિલાઓ પર પડશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ એક ટિ્વટ કરીને કહ્યું હતું કે, એવા કોઈ ફેસ માસ્કના ઉપયોગ પર અમે પ્રતિબંધ મૂકીએ છીએ જેનાથી કોઈ શખસની ઓળખ કરવામાં મુશ્કેલી સર્જાય. આ પ્રકારની…
View On WordPress
0 notes
24. સૂરોનો સ્વામી - રા' ગંગાજળિયો
24. સૂરોનો સ્વામી – રા’ ગંગાજળિયો
ઘણાં વર્ષો પર જે ઊના ગામનું પાદર ભાટ ચારણોનાં ત્રાગાંએ ગોઝારું કરી મૂક્યું હતું તે જ પાદર આજે મૃદંગ, પખ્વાજ, અને તંબૂરના સૂરે તાલે સચેતન બન્યું છે. એક ખોખરા ગાડામાંથી પાંચ સાત પુરુષો ઉતરે છે. તેમની મૂછો મુંડેલી છે, તેમના કપાળમાં ટીલાં છે. તેમના પોષાક મશ્કરી કરાવે એવા છે.
‘એલા છોકરાંઓ.’ એમાંના એક જણે નીચા લળી, ત્યાં એકઠાં થયેલાં તાલમબાજ છોકરાંને પોતે છોકરાં જેવડા થઇને જ કહ્યું : ‘અમારૂં ગાવું ને…
View On WordPress
0 notes
ડૉ. બાબાસાહેબ આંબેડકર : સબળ વિરોધ પક્ષ માટે રિપબ્લિકન પક્ષની પરિકલ્પના ડૉ. આંબેડકર લોકશાહીના પ્રખર પુરસ્કર્તા હતાં. લોકશાહીની સફળતા માટે બે પક્ષોની અનિવાર્યતા અર્થાત્ સબળ-સમક્ષ વિરોધપક્ષની આવશ્યક્તાના નિષ્પક્ષ પ્રામાણિક ચૂંટણી તંત્રના તેઓ આગ્રહી હતાં. પ્રવર્તમાન કોંગ્રેસ પક્ષની કૂટ-નીતિથી તેઓ બેહદ નારાજ હતાં. કારણ કે તે લોકશાહીને પોષાક ન હતી. વળી, ૧૯૫૨ની સામાન્ય ચૂંટણીઓનાં પરિણામ પછઈ તેમને લાગ્યું કે, સમાજવાદી પક્ષ કાચો પડે છે. વળી તે ગામડાં સુધી ગયો નથી. ભારતમાં જે પક્ષ ગ્રામ્યસ્તર સુધી પહોં��ી શકે નહીં તે પક્ષ ચાલી શકે નહીં તેવું તેમનું તારણ પણ હતું. વળી તેઓ કોંગ્રેસમાં કોઈપણ સંજોગોમાં જવા તૈયાર ન હતાં. કોંગ્રેસનો તેમને અનુભવ હતો જ. છેક ૧૯૨૯ થી તેઓ સ્પષ્ટપણે માનતા હતાં કે કોંગ્રેસમાં જવાય જ નહીં. ચિપણૂક પરિષદમાં તેમણે કહ્યું હતું કે, ‘કેટલાંક કહે છે, કોંગ્રેસ સાથે રહેવાથી નુકસાન થશે.’ પરંતુ મારું સ્પષ્ટ મંતવ્ય છે કે, જ્યાં સુધી દલિત સમાજમાં શક્તિ પેદા થશે નહીં ત્યાં સુધી તેમનાં અસ્તિત્વનો સ્વીકાર કરશે નહીં. કોંગ્રેસ સાથે રહેવાથી ‘રાજકીય ભિખારીઓ પેદા થશે અને ‘દલિત શક્તિ’ સર્જનની બાબત ગૌણ બની જશે જેનાં પરિણામે છેવટે વિભાજન થઈ જશે તેમજ પદદલિતોને પારવાર નુકસાન થશે.’ આમ કોંગ્રેસમાં જવું નથી. જાતિવાદી પક્ષો જોડે ફાવતું નથી અને સામ્યવાદીનો સંગાથ રૂચિકર લાગતો નથી. વળી, સમાજવાદ તો જોઈએ જ. તેઓ કહેતાં કે, ‘કોઈપણ સમાજ કે રાષ્ટ્ર અસમાનતાના પાયા ઉપર નભી શકે નહીં, વિકસી શકે નહીં.’ આ સંજોગોમાં તેમણે ભારતીય રાજકારણમાં એક નવીન પક્ષની વિરોધપક્ષની પરીકલ્પના કરી, તે હતો ‘ભારતીય રિપબ્લિકન પક્ષ.’ તેઓ સબળ વિરોધપક્ષ અને નિષ્પક્ષ પ્રામાણિક ચૂંટણી તંત્રને સંસદીય લોકતંત્રની બે ધરી તરીકે પિછાનતા હતાં. પ્રવર્તમાન રાજકારણની મીમાંસા કરતાં તેમણે કહ્યું હતું કે, ‘આજે દેશમાં એવી રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, ‘કોંગ્રેસ આ એક જ પક્ષને (સત્તાધારી પક્ષને) મુજરો કરવાની મનોવૃત્તિ લોકોમાં દૃઢ થતી જાય છે. આપણાં દેશમાં લોકશાહી છે, પરંતુ આ લોકશાહીને આપણી બુદ્ધિને સ્થગિત કરી દીધેલ છે. આપણાં હાથ-પગ એક જ પક્ષે જકડી લીધાં છે એનું મને ભારે દુઃખ છે. આ એક ભયંકર રોગ છે. આપણાં દુર્ભાગ્યની વાત એ છે કે આપણે ભારતીયો પરંપરાથી બુદ્ધિવાદી નથઈ. પરંતુ વધુ પડતાં શ્રધ્ધાવૃત્તિના લોકો છીએ. બહુમતીના કારણે રાજકીય પક્ષ ભ્રષ્ટ બને છે અને અમર્યાદિત બહુમતીથી તો સંપૂર્ણ ભ્રષ્ટ બને છે.’ ‘આજે ભારતીય રાજકારણ કમ સે કમ હિંદુ ભૂમિકાનું આધ્યાત્મિકકરણ થવાને બદલે તેનું વ્યાપારીકરણ થઈ ગયું છે, તે ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયુંછે. ઘણાં સંસ્કૃત સજ્જનો તો આ ‘ગંદવાડા’ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવાનો સાફ ઈન્કાર કરે છે. રાજકારણ એક પ્રકારની ‘ગટર વ્યવસ્થા’ બની ગયું છે જે અત્યંત અરૂચિકર તથા ગંદુ છે. (અત્યારે) વર્તમાન રાજકારણમાં રાજકારણી બનવું એટલે ગંદા નાળામાં કામ કરવા બરાબર છે. રાષ્ટ્ર તથા લોકશાહીના ભાવિ માટે આ ખતરો છે. રાષ્ટ્રને સમયસર તેમાંથી ઉગારવું જ રહ્યું. સાંપ્રત રાજકારણની આ તાસીર જોતાં કોંગ્રેસનાં વિકલ્પે એક સશક્ત વિરોધ પક્ષની જરૂરિયાત તેમને જણાઈ હતી. લોકશાહીમાં ઓછામાં ઓછાં બે પક્ષો હોવા જ જોઈએ. આ બાબતે પણ તેમનું સ્પષ્ટ માનવું હતું કે, ‘એક પક્ષીય પદ્ધતિ લોકશાહીની મારક છે. ખરી રીતે તો એક પક્ષીય પદ્ધતિ એટલે લોકશાહીનો અસ્ત. રાજ્યતંત્ર ચલાવવા માટે પક્ષોની આવશ્યક્તા છે જ. પરંતુ સરકારને જુલ્મી રાજ્ય વહીવટથી દૂર રાખતાં બે પક્ષોની અતિ આવશ્યક્તા છે. બે પક્ષો હશે તો જ લોકશાહી સરકાર લોકશાહી તત્વાનુસાર ચાલશે. આ બે પક્ષો એટલે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ, વળી, જે પક્ષમાં સ્ત્રીઓ, મુસ્લિમો, પછાતવર્ગો અને પદદલિતોનું પ્રાબ્લય હશે તે જ પક્ષ દેશને સુખી કરી શકશે. જાતિવિહિન સમાજ સિવાય વર્ગવિહીન સમાજ શક્ય નથી.’ આ વિચારોના અમલ માટે તેમણે સુપ્રસિદ્ધ સમાજવાદી નેતા ડૉ. રામ મનોહર લોહિયા તથા રાજાજી જોડે પત્રવ્યવહાર, વિચાર-વિનિમય પણ કર્યો હતો, તેમજ લોકશાહીની પુષ્ટતા માટે તેમણે ભારતીય રિપબ્લિકન પક્ષની ઘોષણા પણ કરી હતી. જોકે, ‘તેઓ પ્રથમથી જ જાતિવાદી-મર્યાદિત પક્ષના કે સંસ્થાના હિમાયતી નહોતા.’ પરંતુ સમય અને સંજોગોએ ૧૯૪૨માં તેમને શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનની સ્થાપના માટે મજબૂર કર્યા હતાં. સાંપ્રત સમયે તેઓ (હવે) શિડ્યુલ્ડ ફાસ્ટ ફેડરેશનને પણ વધુ સમય ચલાવવા માંગતાં નહોતાં. ભારતીય રિપબ્લિકન પક્ષની પરિકલ્પના આ પ્રમાણે હતી...કોઈપણ જાતિ, ધર્મ, લિંગ પ્રદેશનાં બાધ સિવાય ભારતનાં દરેક નાગરિક માટે આ પક્ષનાં દ્વાર ખુલ્લાં છે. ૧. સમતા, સવતંત્રતા, બંધુતાની ભાવનાનો વિકાસ ૨. જાતિ અને વર્ગવિહીન સમાજવાદી સમાજની પ્રસ્થાપના ૩. ભારતીય સંવિધાનનાં સાચા અર્થમાં અમલની ખાતરી ૪. મુઠ્ઠીભર લોકોનાં હાથમાંથી શાસન લઈને બહુજન સમાજને સોંપવું ૫. કિસાન-કામદાર, દલિતો, લઘુમતીઓ, શોષિતોની સરકાર ૬. ભૂમિહીન ખેડૂતોને જમીન તથા સામૂહિક સહકારી ખેતૂ ૭. ગ્રામોદ્વાર કુટીર ઉદ્યોગ, ગૃહઉદ્યોગને પ્રાધાન્ય ૮. ભારતીય કરમાળખામાં આમૂલ પરિવર્તનની પ્રક્રિયા ૯. ગંદી વસ્તીઓ ઝૂંપડપટ્ટીઓની જગ્યાએ સુઘઢ આરોગ્યપ્રદસ આવાસ ૧૦. ભારતીય સીમા સુરક્ષાની સક્ષમતા અલબત્ત, પોતાની ઉપર્યુક્ત પરિકલ્પના પ્રમાણે રિપબ્લિકન પક્ષની પ્રસ્થાપના તેઓ તેમની હયાતીમાં વિધિસર કરી શક્યા નહોતા. (સાભાર :- ડૉ. બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહગ્રંથ-૧૬, પ્રકાશક :- ડૉ. આંબેડકર ફાઉન્ડેશન, કલ્યાણ મંત્રાલય, ન્યુ દિલ્હી અને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃ્તતિ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ ૧૯૯૮)
0 notes
કોલ્હાપુરની પ્રસિદ્ધ મહાલક્ષ્મી દેવીને સાડીને જગ્યાએ ઘાઘરા-ચોલી પહેરાવતા ભક્તો ભડક્યા
કોલ્હાપુરની પ્રસિદ્ધ મહાલક્ષ્મી દેવીને સાડીને જગ્યાએ ઘાઘરા-ચોલી પહેરાવતા ભક્તો ભડક્યા
કોલ્હાપુરના પ્રસિદ્ધ મંદિરમાં સ્થાપિત દેવી મહાલક્ષ્મી અંબાબાઈને ઘાઘરા-ચોલી પહેરાવાતા મોટો વિવાદ ઉભો થયો છે. આ મામલે મંદિરના પૂજારી સહિત ત્રણ લોકોની સામે કેસ ફાઈલ કરાયો છે.
બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર દેવી મહાલક્ષ્મીની ઘાઘરા-ચોલી પહેરેલી તસવીર વાઈરલ થઈ હતી. જ્યારે કે, મહાલક્ષ્મી દેવીનો પોષાક સાડી છે. આ તસવીર વાઈરલ થયા બાદ પશ્ચિમી મહારાષ્ટ્ર દેવસ્થાન પ્રબંધન કમિટીએ પૂજારીના વિરુદ્ધમાં કાયદાકીય…
View On WordPress
0 notes