Long list of Gujarati poets
નરસિંહરાવ દિવેટિયાએ મંગળ મંદિર ખોલ્યાં.
ત્યાં તો વળી દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યું.
ગની દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતાં શીખવ્યું.
અમૃત ઘાયલે શાનદાર જીવ્યાનો દાખલો આપ્યો.
જ્યારે દૂધમાં સાકરની જેમ ભળી જવાનો ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
મરીઝે ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
શૂન્ય પાલનપુરીએ મંદિરમાં દેવોનાં દર્શન કરાવ્યાં.
ધૂમકેતુ તો 'મરિયમેય ન મળી, કાગળેય ન મળ્યો'ના દુ:ખદ સંદેશા લાવ્યા.
ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યો.
ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
સરસ્વતીચન્દ્રને ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઊડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
ખબરદારે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
બોટાદકર પાસેથી જનનીની જોડ જગે નહીં જડે રે લોલ! જેવું અદ્ભુત કાવ્ય મળ્યું.
છ અક્ષરના નામમાં પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
બાલાશંકર કંથારિયાએ જીવનમંત્ર આપ્યો કે, ગુજારે જે શિરે તારે, જગતનો નાથ.
તે સહેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ, તે અતિ પ્યારું ગણી લેજે.
રાવજી પટેલે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા થી જાણે કે હૃદય કંપાવી દીધું.
ઇન્દુલાલ ગાંધીએ આંધળી માનો અતિ લાગણીસભર અને ભાવાત્મક કાગળ પહોચાડયો.
અખાએ તમને મૂરખ બનતા બચાવ્યા. "એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.”
સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું કે, “જાવું જરૂર છે, બંદર છોને દૂર છે.”
રાજેન્દ્ર શુક્લના પ્રશ્નનો નથી જવાબ હજી "કીડી સમી ક્ષણોની આ આવ-જાવ શું છે?"
નરસિંહ મહેતા સાથે તો વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
હેમન્ત દેસાઈને મનગમતું ગમ્યું કે, “બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં કોઈ પણ મને ગમે.”
જ્યારે જયંત પાઠકે આપણને મ���ણસમાં રાખ્યા, ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.”
બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં.
કૃષ્ણલાલ શ્રીધરાણીએ આપણને સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, વળી ધૂપથી શ્વાસ રૂંધાય, ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય, ન નૈવેદ્ય તારું આ ! પૂજારી તું પાછો જા !
પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યા.
પ્રીતમે હરિનો મારગ શૂરાનો બતાવ્યો.
મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે ભરાય તેવો જ નથી, ”ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ”
ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડું વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્ય વયમાં છોડી શકાય !”
સુરેશ દલાલે તો એવું કહ્યું છે કે, તમે વાતો કરો તો થોડું સારું લાગે.
“હું તો બસ ફરવા આવ્યો છું!” આવું કહેનાર નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
બેફામ કહે છે કે, તોયે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.
જયંતી દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી“
કુન્દનિકા કાપડિયા સાથે તો જાણે સાત પગલાં આકાશમાં ભર્યાં.
“ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહેશો? રાજેન્દ્ર શાહ
શયદા, તું કહે છે કે અશ્રુ ચાલ્યાં જાય છે, પણ હું કહું છું, કે આ તો જિંદગી ધોવાય છે.
પિનાકિન ઠાકોર સાથે હું તો પોકારું, "હે ભુવન ભુવનના સ્વામી."
કલાપી તમને તો શું કહેવાનું જ હોય, અહીઁ તો જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની.
કુમારપાળ દેસાઈએ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે ખરું કહ્યું નર્મદે.
શ્યામ સાધુજીની "બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી. ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં."
કરસનદાસ માણેક તમારું જીવન અંજલિ થયું.
મનોજ ખંડેરિયા, તમે કહેશો કેમ આમ બને છે, કે પકડું કલમને, ને હાથ આખે આખો બળે છે?
સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલસમ્રાટના શિષ્ય, માટે બનવું તમારા શિષ્ય.
નાથાલાલ દવે તો કહે છે કે કામ કરે ઈ જીતે રે માલમ ! કામ કરે ઈ જીતે.
દિનકર જોશી સાહેબ, પ���રકાશના કાંઈ પડછાયા હોય ?
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
ઘણીવાર વિચારું જગદીશ જોષીજી, ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હળ્યા પણ, આખા આ આયખાનું શું?
“માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું" સંસ્કૃતિરાણી દેસાઈ તમે કદાચ મળી જશો.
તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી, “જીવીએ પહેલાં, પછી લખાય તો ઠીક છે, ન લખાય તો પણ કંઈ વસવસો નથી.”
“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા.
ચન્દ્રકાન્ત શેઠે કહ્યું કે, કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે ��માજમાં.
અશોક દવે, તમારે તો લખવાના કારણે બપોરનાય ઉજાગરા
હું કાગ ની મઢેલી છું જીતુદાને જડેલી
ગુજરાતી મારુ નામ મને દાદે ઘડેલી
નથડી છે નરસિંહ ની ઝાંઝર ઝવેરના
બેફામે દીધી બંગડી ને સેંથી શૂન્ય ની
અખાની અમીરાત છું ઘાયલ મિજાજી છું
ચંચી ને ચાંદલે સજી ગઝલ ગની ની છું
જલન ની જૂઈ છું ને વેણી એ ગૂંથેલ છું
શેખાદમ ની શેરીએ રુસ્વા ની રસમ છું
શંકરઉમાની અરજ છું કલાપીના કહેણ છું
રમેશ ની પરખ છું આદિલ નો અમલ છું
ઈશરા ના હરિગાન હું શંકર ની કલમ છું
લાડુદાનની લગન સાંયાજી ના સકન છું
આખ્યાન પ્રેમાનંદનું દલપતની દાખેલ છું
કાન્ત નું છું સર્જન હું ગંગાસતી નું ગાન છું
અલગારી કેરા આલમે ખલિલ ના ખેલ છું
કસબી જ કલમ પકડજો લાજાળુ વેલ છું
ટાપરીયા
અડાભીડ કલમ ના કસબીઓ ને ગુજરાતી
ભાષા ને શૃંગાર દેવા બદલ સૌ ગુજરાતી વતી નમન કરી ઋણ અદા કરુંછું .
0 notes