નેતૃત્વ
-શૈલેષ રાઠોડ
નેતૃત્વ સફળતાનો પાયો છે.આવો તેને વિભાગીકરણ દ્વારા સમજીયે.
1. પ્રભાવી નેતૃત્વ ( Commanding Leadership)આ પ્રકારનું નેતૃત્વ ધરાવતી વ્યકિત જૂથ પર પોતાનુ સંપૂર્ણ વર્ચસ્વ ધરાવે છે. તત્કાલ નિર્ણયો લઇ લાદે છે. આ પ્રકારના નેતૃત્વનો મુખ્ય મંત્ર “આજ્ઞાનુસાર કરો.” હોય છે. કટોકટીના સમયે કેતાત્કાલિક પરિણામ મેળવવાની દૃષ્ટિએ આ પ્રકારનું નેતૃત્વ સફળ હોય છે. આ નેતૃત્વની મુખ્ય વિશેષતાનેતાની પહેલવૃતિ…
View On WordPress
0 notes
ધર્મ એક જીવન જીવવાની કળા
-શૈલેષ રાઠોડ ધર્મ એ અધ્યાત્મ (Spirituality) ની એક શાખા છે.ધર્મનો સાચો અર્થ છે માનવતા.ધર્મ એક જીવન જીવવાની કળા છે. પોતે પણ સુખ મેળવવું અને બીજાને સુખ પણ આપવું તે ધર્મ છે.
ચિંતકો માને છે કે એ વાત નિઃસંદેહ છે કે દુનિયાના સર્વ મોટા મોટા ધર્મોએ આ પૃથ્વીના કરોડો મનુષ્યોને સેંકડો તથા હજારો વર્ષો સુધી સાચે રસ્તે વાળ્યા છે. આજ સુધી કરોડો માનવીઓમાં હૃદય તથા મનને, એમના આત્માને સુખ-શાન્તિ દેનાર ચીજ ધર્મ…
View On WordPress
0 notes
વેકેશન:આનંદમય પ્રવૃત્તિ સાથે શિક્ષણનો અનુબંધ-શૈલેષ રાઠોડ
બાળકો-યુવાનોને દિવાળી અને ઉનાળુ એમ બે મોટા વેકેશનો મળતાહોય છે.આ બધામાં સૌથી મોટું વેકેશન એટલે ઉનાળુ વેકેશન,જેમાં વિધાર્થીઓ નવા વર્ષ કે નવા ધોરણમાં જવાના હોય જુનું ખંખેરી નવા વર્ગ તરફ જવાનું હોય સાચા વેકેશનના મૂડમાં હોય છે. વેકેશનમાં હવે મામાને ઘરે કોઇ જતું નથી, એ વાત ભૂતકાળ થઇ ગઇ છે.પહેલાના સમયમાં વેકેશન પડે એટલે “મામાનું ઘર કેટલે…દીવો બળે એટલે…!બિસ્તરા પોટલા લઇ તૈયાર.એની મઝા જ કઈ ન્યારી હતી. ધોમ…
View On WordPress
0 notes
ઈશ્વરની દયા
-શૈલેષ રાઠોડ ઈશ્વરને મોટેભાગે અલૌકિક સર્જક અને બ્રહ્માંડના દૃષ્ટા તરીકે જોવામાં આવે છે.આસ્તિકવાદ સામાન્યરીતે એમ માને છે કે ઈશ્વર વાસ્તવિકપણે, નિરપેક્ષપણે અને મનુષ્યના વિચારોથી સ્વતંત્ર અસ્તિત્ત્વ ધરાવે છે; ઈશ્વરે તમામ વસ્તુનું સર્જન કર્યું છે અને તેનો નિભાવ કરે છે; ઈશ્વર સર્વશકિતમાન અને શાશ્વત છે; વ્યકિતગત છે અને બ્રહ્માંડ સાથે આંતરક્રિયા કરે છે.ઈશ્વર યોજનાથી દુનિયા ચાલે છે.જોકે નાસ્તિકવાદ…
View On WordPress
0 notes
"જેને ઉડવું છે, તેના માટે વિશાળ આકાશ છે.":શિક્ષણવિદ શૈલેષ રાઠોડ
આણંદ ખાતે ઋષિ સાયન્સ ઝોન દ્વારા અનોખો માર્ગદર્શન સોમિનાર યોજવામાં આવ્યો.આણંદ ખાતે આવેલ ઋષિ સાયન્સ ઝોન દ્વારા અનોખો માર્ગદર્શન સોમિનાર યોજવામાં આવ્યો.જેમાં “જેને ઉડવું છે, તેના માટે વિશાળ આકાશ છે.”તેમ જણાવી તજજ્ઞ વક્તાઓએ ધો.10 પરીક્ષા પૂર્ણ કર્યા પછી શું?સૌથી મોટો યક્ષ પ્રશ્ન.જેનું સમાધાન કરવું બાળક અને માતાપિતા માટે કઠિન હોય તેનું સમાધાન કરાયું હતું.સંસ્થાના નિયામક ડૉ. એની અર્ચન, ફાઉન્ડર અર્ચન…
View On WordPress
0 notes
વિદાઈ ભાષણ
ખંભાતના છેવાડે જ્ઞાનનું ઘરત્રણ વર્ષ���ાં બન્યું પોતીકું ઘરખટ મીઠાં સપનાં સહુનો સંગ રીસામણા મનામણામાં હોળીનો રંગખંભાતના છેવાડે મારું મનગમતું ઘરહા, જ્ઞાનનું ઘર… પોતીકું ઘરનમસ્તે પરિવારજનો,એક સમય એવો હતો જયારે શાળામથી અહીં કોલેજમાં આવી ત્યારે મનના એક ખૂણામાં અજમ્પો-ડર હતો.શું થશે? કોલેજમાં બધું જ નવું અને કલ્પનાથી અલગ.પણ….. સમયે મને શાળાની જેમ જ કોલેજમાં પરિવારનો સભ્ય બનાવી દીધી.આજે અમારું પાંખો આપનાર…
View On WordPress
0 notes
અરવિંદ કેજરીવાલ
કેજરીવાલ, અરવિંદ (જ. 16 ઑગસ્ટ 1968, સિવાની, હરિયાણા) : દિલ્હીના મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, આવકવેરા વિભાગના પૂર્વજૉઇન્ટ કમિશનર, રેમન મેગ્સેસે ઍવૉર્ડ વિજેતા, સામાજિક કાર્યકર.અરવિંદ કેજરીવાલના પિતા ઇલૅક્ટ્રિકલ એન્જિનિયર હતા. પિતાની નોકરીઓ બદલાતી હોવાથી અરવિંદ કેજરીવાલનો શાળાનો અભ્યાસ હિસાર, સોનિપત, ગાઝિયાબાદ જેવાં શહેરોમાં થયો હતો. 1985માં આઈઆઈટી-જેઈઈની પરીક્ષા પાસ કરીને તેમણે…
View On WordPress
0 notes
કૅનેડામાં સ્થાયી થવા માટે ઉત્તમ ત્રણ શહેરો કયાં છે ?
હાલમાં કેનેડાનો ક્રેઝ વધ્યો છે.વાનકુવર, કૅલગરી અને ટોરોન્ટોને ‘ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ-2023’માં ટોચનાં 10 શહેરોમાં સ્થાન મળ્યું છે. આ શહેરોમાં એવું તે શું છે,જે અહીં રહેતા લોકોના જીવનને મધુર બનાવે છે?યુરોપિયન અને સ્કેન્ડેનેવિયન સ્થળો વિશ્વનાં સૌથી આરોગ્યપ્રદ રાષ્ટ્રો અથવા નાનાં બાળકોના ઉછેર માટેના શ્રેષ્ઠ દેશો તરીકે વિશ્વના સૂચકાંકોમાં…
View On WordPress
0 notes
વર્ષના મહત્વના દિવસો
જાન્યુઆરી તારીખ દિવસો9 પ્રવાસી ભારતીય દિવસ10 વિશ્વ હાસ્ય દિવસ11 લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ12 યુવા દિન, સ્વામી વિવેકાનંદ જયંતિ15 સેવા દિન23 સુભાષચંદ્ર બોઝ જયંતિ25 રાષ્ટ્રીય પ્રવાસન દિવસ26 પ્રજાસત્તાક દિન, આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિન.28 લાલા લજપતરાય જન્મદિવસ29 રાષ્ટ્રીય પ્રેસ દિવસ30 શહીદ દિન, રક્તપિત નિવારણ દિવસ, મહાત્મા ગાંધીની પુણ્યતિથિફેબ્રુઆરી તારીખ દિવસો1 તટરક્ષક દિવસ12 સર્વોદય દિન, ઉત્પાદકતા…
View On WordPress
0 notes
કર્મશીલ સર્જક અનિલ વાઘેલા લિખિત"જબ ચીડિયા ચુગ ગઈ ખેત"નાટ્યસંગ્રહનું નડિયાદ ખાતે વિમોચન કરાયું.
સાહિત્ય ક્ષેત્રે 20 જેટલાં પુસ્તકોનું સર્જન કરનાર કર્મશીલ સર્જક અનિલ વાઘેલા લિખિત પુસ્તક “જબ ચીડિયા ચુગ ગઈ ખેત”નાટ્યસંગ્રહનું નડિયાદ મિશન રોડ ખાતે વિમોચન કરાયું હતું.આ પ્રસંગે સર્જક અનિલ રોંઝાએ સર્જક પરિચય અને પુસ્તક માહિતી આપતાં જણાવ્યું હતું કે, અનિલ વાઘેલા માત્ર લેખક જ નહીં કર્મશીલ સેવાકર્મી છે.તેઓના સર્જનમાં પીડિતોની વેદના, ગ્રામ્યજીવના ઉતાર ચડાવ વચ્ચે પાંગરતું જીવન,દલિત સંઘર્ષ અને ઉત્થાન,…
View On WordPress
0 notes
ગુરુનું સ્થાન
ગુરુ-શિષ્ય પરંપરા એ ભારતીય અધ્યાત્મની કરોડરજ્જુ છે.પ્રસિદ્ધ બ્રિટિશ લેખક શ્રી પીટર બ્રેન્ટે ‘skeleton of Hinduism’ તરીકે આ ગુરુ-શિષ્ય પરંપરાનું અનોખું મહત્ત્વ આંક્યું છે. કરોડરજ્જુ કે અસ્થિ-પાંજર વિના શરીર કેવી રીતે સ્થિર અને સાબૂત રહી શકે?
બોર્ડ ઉપર કક્કો લખેલો હોય અને બાળકો બે નેત્રથી જુએ છતાં બાળકની કક્ષાએ પહોંચી કહેનાર-સમજાવનાર ગુરુ ન હોય તો અક્ષરજ્ઞાન થાય નહીં અને રસપુર્વક સમજાય પણ…
View On WordPress
0 notes
દિવ્ય વિચાર :તહેવાર કે લગ્નમાં દારૂખાનું ફોડવાનું બંધ કરીએ તો…?
શું ફટાકડા એ લગ્ન કે તહેવારોની વધામણીનું સુરીલું ગીત છે. શું ફટાકડાના કાનફાડી નાંખે તેવા અવાજથી ઉંમરને ઉંબરે ઉભેલ બીમારીથી પીડાતો વૃદ્ધ,ઘોડિયામાંથી નવી દુનિયાને જોવા થનગનતો બાળક, દુઃખમાં ગરકાવ પરિવાર ધન્યતા અનુભવી નાંચી ઉઠે છે.
ફટાકડા વગર હું ખુશ છું.
આજે જન્મદિવસ હોય કે તહેવાર પ્રસંગ તે યુવાનો માટે ઘોંઘાટની હરીફાઈ અને આંખ બાળે…
View On WordPress
0 notes
હાસ્ય જોક્સ
પતિ સવાર પડી,જલ્દી ઉઠો, હું ભાખરી કરું છું.પતિ- હું ક્યાં તાવડી ઉપરસૂતો છુંતું ભાખરી કરને…————ટીચર વિધ્યાર્થીને પક્ષીના પગ જોઈનેપક્ષીને ઓળખવાનું કહ્યું“કયું પક્ષી છે બોલ?”વિધ્યાર્થી: નથી ખબર,ટીચર: તું નાપાસ, તારું નામ બોલ,વિધ્યાર્થી: પગ જોઈને લખી લો…———ભુરો મંદિરે ગયો.ભુરો : હે ભગવાન, મને ફટાફટ સરકારીનોકરી અપાવી દો!ભગવાન (હસીને) : કેળાં, નાળિયેર, સફરજનકંઈ લાવ્યો નથી.ખાલી હાથે જ આવ્યો છે?સંતા :…
View On WordPress
0 notes
હાડગુડ પ્રાથમિક શાળમાં "ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ"સેમિનાર યોજાયો
PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં ‘ઉજાશ ભણી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન વિષય ઉપર તા.14/02/24 ના રોજ તજજ્ઞ શિક્ષણવિદ શૈલેષ રાઠોડે ઈન્ટરનેટની શોધ થી લઈ ભારત અને ગુજરાતમાં પ્રસાર તેમજ તેના ફાયદા, ગેરફાયદા અને સ્કેમની વિસ્તૃત માહિતી આપી હતી.ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા તરુણ અને તરુણીઓ માટે જ ૧૧ જેટલા જરુરી તાલીમ…
View On WordPress
0 notes
સ્ટડી ટેક્નિક્સ અને વૈજ્ઞાનિક ટિપ્સ
સ્ટડી ટેક્નિક્સ અને વૈજ્ઞાનિક ટિપ્સ સાથે સેન્ટ મેરીઝ હાઈસ્કૂલ નડિયાદ ખાતે દીક્ષાંત સમારંભ યોજાયો
સેમિનાર
નડિયાદની અગ્રેસર શાળા સેન્ટ મેરીઝ ખાતે ધો.10 બોર્ડના વિધાર્થીઓ મહિનાપૂર્વે બોર્ડ પરીક્ષા માટે આયોજનબદ્ધ રીતે તૈયારી કરી શકે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાંચન કરી ઉત્તમ પરિણામ મેળવી શકે તેવા હેતુસર તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ દીક્ષાંત સમારંભ યોજાઈ ગયો.આ પ્રસંગે મુખ્યમહેમાન પદે શિક્ષણવિદ શૈલેષ…
View On WordPress
0 notes
મેં હું આપકા દોસ્ત અમીન સયાની...',વધુ એકઅવાજના જાદૂગરે દુનિયામાંથી લીધી વિદાય..!
અમીન સયાનીના નિધનથી તેમના પુત્ર રઝીલ સયાનીને ઘેરોશોક લાગ્યો છે. એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાંતેમણે તેમના પિતા અમીન સયાનીના મૃત્યુની માહિતી આપીહતી. તેમણે જણાવ્યું કે, અમીન સાયનીને પાછલા દિવસે હાર્ટએટેક આવ્યો હતો ત્યારબાદ તેમને તાત્કાલિક HNરિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુરસ્તામાં જ અમીન સયાનીનું મોત થયું હતું.
અમીન સયાની તેમના શો ગીતમાલા માટે જાણીતા હતાઅમીન સયાનીએ 1951 થી અત્યાર…
View On WordPress
0 notes
વાલીમિટિંગ!તમારા બાળકના શિક્ષણમાં સહભાગી બનોશિક્ષણપ્રણાલીઓ અને વ્યવહારોવાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો
વાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો-શૈલેષ રાઠોડ જો તમે ઈચ્છતાં હો કે તમારું બાળક શાળામાં અવ્વલ રહે, સાંજના પોતાનું હોમ વર્ક કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્ત્વનો ભાગ ભજવવો પડશે. કારણ કે આ માત્ર શાળાના શિક્ષકોની જ જવાબદારી નથી. બાળકના શાળા પ્રવેશથી લઈને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે વાલીઓ સંકળાયેલા હોય તે જરૃરી બની ગયું છે.આજે બાળકોનું ભણતર માતા-પિતા માટે કસોટીરૃપ થઈ…
View On WordPress
0 notes