૫. સ્વ સંકલ્પના – Self Concept
૫. સ્વ સંકલ્પના – Self Concept
એક વખત એક વક્તાને કોઈએ પૂછ્યું કે ‘પ્રવચન કેવું રહ્યું?’ તો વક્તાએ જવાબ આપ્યો કે ‘કયું પ્રવચન? મેં જે પૂર્વતૈયારી વખતે વિચાર્યું હતું કે આમ બોલીશ તે, કે પછી જ્યારે મેં પ્રવચન આપ્યું અને તે સમયે જે બોલાયું તે પ્રવચન અને બોલ્યા પછી મને જે લાગ્યું કે આમ કહ્યું હોત તો ઠીક હતું તે પ્રવચન. એક જ ઘટનાને કેટકેટલા પરિમાણોથી જોઈ શકાય, સમજી શકાય કે મૂલવી શકાય. તો સ્વના સંદર્ભમાં જો વિચારીએ તો અસંખ્ય…
View On WordPress
0 notes
૪. ‘યોગ’ એટલે વૈજ્ઞાનિક અને પ્રબુદ્ધ જીવન શૈલી
૪. ‘યોગ’ એટલે વૈજ્ઞાનિક અને પ્રબુદ્ધ જીવન શૈલી
માણસ એક એવી વિડંબના વચ્ચે જીવી રહ્યો છે, જેમાં એ ‘જે નથી’ એને એણે ‘પોતાની ઓળખાણ’ બનાવી લીધી છે અને હકીકતમાં એ ‘જે છે’ તેને તે ભૂલી ગયો છે. ખુદનું ‘હોવાપણું’ (Being) વિસરાઇ ગયું છે, અને ‘કશુંક બની જવાની’ (Becoming) દોટમાં જીવનને ઘસડ્યા કરે છે. એને લાગે છે કે, ‘એ’ બધું પ્રાપ્ત કરીને પોતે સુખી થઈ જશે, પણ એ ઘડી જીવનના અંત સુધી આવતી જ નથી.
જીવન વિશેના વિવિધ આયામોને સમજતાં આપણને સમજાયું જ હશે કે,…
View On WordPress
0 notes
૩. સ્વનું દર્શનશાસ્ત્ર
વિશ્વના તમામ દાર્શનિકોને માટે સ્વનો સાક્ષાત્કાર એ જ જીવનનું પરમ લક્ષ્ય રહ્યું છે. સોક્રેટિસે દર્શનશાસ્ત્રનું પરમ લક્ષ્ય જણાવતા કહ્યું હતું કે, ‘તારા આત્માને ઓળખ (Know Thyself).’ લાઓત્ઝુ ‘તાઓ તે કિંગ’માં કહે છે કે ‘બીજા વિશે જાણવું તે ડહાપણ છે પણ પોતાના વિશે જાણવું તે આત્મ સાક્ષાત્કાર છે.’ ભારતીય મનીષીઓએ તો આરંભથી જ ‘આત્મા’ અને ‘અહંકાર’ના ખ્યાલ સાથે સ્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય…
View On WordPress
1 note
·
View note
૨. સ્વનું મનોવિજ્ઞાન
મનોવિજ્ઞાનનો મૂળભૂત ઉદ્દેશ્ય જ માનવવર્તનને શાસ્ત્રીય રીતે સમજવાનો છે. એટલે સ્વાભાવિક રીતે જ વ્યક્તિ પોતાના વિશે શું સમજે છે, તે અમૂક રીતે કેમ વર્તે છે, તે તેનો ગહન અભ્યાસ વિષય બની જાય છે. વ્યક્તિ પોતાના સ્વ વિશે શું માને છે તેના પર તેના જીવનનો આધાર રહેલો છે. વ્યક્તિ હોંશિયાર હોય પણ જો તે પોતાને તેમ ન માને અને લઘુતાનો ભાવ અનુભવે તો તે ધાર્યો વિકાસ હાંસલ કરી શકતો નથી. માટે મનોવિજ્ઞાનીઓ લોકો પોતાના…
View On WordPress
0 notes
૧. ‘સ્વ’ એટલે શું?
૧. ‘સ્વ’ એટલે શું?
આપણને કોઈ પૂછે કે તમે કોણ છો? તો તરત આપણે આપણું નામ, ભણતર, વ્યવસાય, જ્ઞાતિ વગેરે વિશે જણાવીશું. પણ શું આ જ આપણી ઓળખાણ છે? એક માણસની ઓળખાણ અહીં જ સમાપ્ત થઇ જતી નથી. બલ્કે નીચેના પ્રશ્નો તેની સાચી ઓળખાણ કરાવે છે.
એક કવિએ કહ્યું છે,
“નામ આપનું, બાપનું અને અટક
જરા! અટક!”
અહીંથી અટક્યા પછી જ અસલી ઓળખાણ શરૂ થાય છે.
હું કોણ છું ?હું ક્યાંથી આવ્યો છું ?મારે ક્યાં જવાનું છે ?હું શું કરવા આવ્યો છું…
View On WordPress
0 notes
સ્વની સમજ - આમુખ
સ્વની સમજ – આમુખ
સ્વાનુભવમાં પ્રત્યક્ષ ડૂબકી લગાવીને જે વિષયને આત્મસાત્ કરી શકાય તે વિષય પર સૈધ્ધાંતિક ચર્ચા કરવી અને તેની સમજ વિશે લેખન કરવું એ પડકારરૂપ છતાં મજાનો અનુભવ બની રહ્યો. આ પણ સ્વની સમજનો જ વાસ્તવિક અનુભવ છે. આધ્યાત્મિક સત્યો અને વૈજ્ઞાનિક સત્યો વચ્ચે એક પાયાનો તફાવત છે. વિજ્ઞાન નવું કે જૂનું હોઇ શકે. આઇન્સ્ટાઇનની શોધ ન્યુટનની શોધને જૂની બનાવી દે છે. અને બીજું એ કે વિજ્ઞાનમાં જે પણ સત્ય શોધાય છે, તેને…
View On WordPress
0 notes