પ્રબળ ઈમોશન્સ બીમારીને આમંત્રણ આપે છે?
આ લેખ ખરેખર વાંચવા અને
વિચારવા જેવો છે.
કઈ લાગણી કઈ બીમારીને જન્મ આપે છે એ જાણી લઈએ તો એમાંથી બહાર નીકળવાનો ઉપાય અવશ્ય શોધી શકાય.
લૂઈસ હે અને ડો. રિચાર્ડ પી. સોલોન સહિત અનેક સાઇકોલોજિસ્ટ્સ જણાવે છે કે લાગણીઓ શરીરનાં જુદાં જુદાં અંગો પર અસર કરે છે.
લાગણીશીલ વ્યક્તિઓ પોતાના મનની લાગણી મનમાં જ દબાવી રાખે છે ત્યારે એ ભાવનાઓ નકારાત્મકતામાં પરિણમી મનની સાથે તનને પણ માંદું કરી શકે છે.
ફ્રોઝન શોલ્ડર:
તમે નોંધ્યું હશે કે ઘણી બધી સ્ત્રીઓ ઘરની જવાબદારી ખૂબ સરસ રીતે સંભાળે છે.
લગભગ એ કોઈ ફરીયાદ નથી કરતી, પરંતુ અચાનક એના શોલ્ડર દુખવા માંડે છે.
ન તો એણે કોઈ વજન ઊંચક્યું છે કે ન તો એને કશું વાગ્યું છે.
કોઈ બાહ્ય કારણ વિના થતો દુખાવો મનની લાગણીને વ્યક્ત કરે છે.
જ્યારે વ્યક્તિને લાગે છે કે મારે જ બધું કરવું પડે છે, મને કોઈ હેલ્પ નથી કરતું કે મારા કામનું કોઈ મહત્ત્વ નથી, ત્યારે એના શોલ્ડર દુખે છે, કારણ કે ખભો એ જવાબદારી ઉઠાવવાની જગ્યા છે.
ખભાના દુખાવાનો સંબંધ આપણી ક્ષમતાથી વધારે જવાબદારી ઉઠાવવા સાથે છે.
જવાબદારી ઉઠાવવાની ક્ષમતાની ચરમસીમા આવી જાય કે જવાબદારી બોજ લાગવા માંડે ત્યારે ખભાનો દુખાવો થઈ શકે.
દરેક વ્યક્તિએ વધારાની જવાબદારી શેર કરવી જોઈએ.
માંગ્યા વિના મા પણ નથી પીરસતી, એમ ઘણી વાર સપોર્ટ પણ માંગ્યા વિના નથી મળતો.
ઝઘડાના ડરે કે મહાન બનવાના અભરખામાં તમારી ક્ષમતા ને શક્તિથી વધારે જવાબદારી ન લો.
લોઅર બેક પેઇન:
સાઇકોલોજી મુજબ લોઅર બેક યાને પીઠનો સંબંધ પૈસાની અછત સાથે છે.
જ્યારે નાણાકીય તંગી સર્જાય, ક્યાંય પૈસા ફ્સાઈ જાય અથવા નવી આવકના સ્તોત્ર અચાનક બંધ થઈ જાય, ત્યારે મન ખૂબ જ લાચારી અને અસહાયતા અનુભવે છે અને પીઠના દર્દની સમસ્યા શરૂ થઈ જાય છે.
પૈસાની તંગીથી ચિંતિત બનવાને બદલે મનને પૈસા કમાવાના નવા રસ્તા શોધવા પાછળ દોડાવો!
કોઈની મદદ માંગો.
જેવી મનમાં સલામતીની ભાવના આવશે દર્દ ગાયબ થઈ જશે.
સાયનસ:
અનેક લોકો ખાવાપીવામાં ખૂબ ધ્યાન રાખતા હોવા છતાં ગમે ત્યારે એમને સાયનસની સમસ્યા ઉદ્ભવે છે.
સાયનસ પાછળની સાઇકોલોજી કંઈક આવી છે.
અગર તમે તમારા પરિવારના લોકોને ખૂબ પ્રેમ કરતા હોવ, ત્યારે સાયનસની સમસ્યા જન્મે છે.
ઉદાહરણ તરીકે પત્નીને પતિ માટે પ્રેમ હોય, પરંતુ એમનો ગુસ્સો, લાપરવાહી અને બેદરકારી એને ખૂબ અકળાવતી હોય.
આ કારણસર એને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય, પરંતુ એ બોલી ન શકતી હોય ત્યારે સાયનસ થવાની શક્યતા ખૂબ વધે છે.
આનો ઉપાય એક જ છે કે જે ન ગમતી બાબત હોય એ શેર કરો અને એને દૂર કરવાનો પ્રયત્ન કરો.
જેને પ્રેમ કરો છો એ વ્યક્તિને સમજાવો કે એમની અમુક બાબતો તન, મનને કઈ રીતે અસર કરે છે.
ઓબેસિટી:
ઓબેસિટી આમ તો લાઈફ્સ્ટાઈલ ડિસીઝ છે, પરંતુ એનાં મૂળિયાં માનવના મનમાં છે.
જ્યારે વ્યક્તિને એવું લાગે કે એમને કોઈ પ્રેમ નથી કરતું, પાર્ટનર એને છોડી દેશે, ત્યારે ખુદને નુકસાન કરવાની ઇચ્છા જાગે છે, પરંતુ સીધી રીતે વ્યક્તિ ખુદને નુકસાન નથી કરી શકતી તેથી એ ઉદાસીમાં ખા ખા કરે છે.
બેઠાડુ જીવન જીવે છે.
નવાઈની વાત છે કે જેવી ઉષ્મા પ્રેમમાં હોય છે, એવી જ ઉષ્મા જાડાપણામાં હોય છે.
જ્યારે તેમને પ્રેમની જરૂર હોય અને બહારથી પ્રેમ ન મળે ત્યારે તમારું શરીર જાડાપણા રૂપે અંદરથી ગરમી પેદા કરે છે.
આ સમસ્યાથી બચવા માટે પોતાની જાતને ચાહતા શીખવું પડશે અને જે લોકો તમને પ્રેમ કરતાં હોય, દિલથી સ્વીકારતા હોય, એવા લોકોની સાથે વધારે સમય પસાર કરવો જોઈએ.
ખુદને મનગમતા શોખમાં વ્યસ્ત રાખીને પણ આ ફીલિંગ્ઝ દૂર કરી શકાય.
એસિડિટી:
એસિડિટી એ આજની આમ સમસ્યા છે.
વ્યક્તિ જ્યારે પોતાના ગુસ્સાને દબાવે છે, ઈચ્છા હોવા છતાં બોલી નથી શકતી ત્યારે એસિડિટીની સમસ્યા જન્મે છે.
જ્યારે ખૂબ ગુસ્સો આવે અને એ બહાર ન નીકળે, તો એ અંદર ને અંદર ઉકળે છે અને એસિડિટીમાં બદલાય છે.
વાસ્તવમાં એસિડિટીથી બચવા માટે જે વાત પર ગુસ્સો આવે છે એ વિશે વાત કરો, બની શકે કે સામી વ્યક્તિને ન ગમે અને ઝઘડો થાય, પરંતુ તન, મન બંનેને બગાડવા કરતાં એક વખત મનની ભડાશ કાઢી નાખવી યોગ્ય છે.
તમે ખૂબ જ શોર્ટ ટેમ્પર્ડ હોવ તો યોગ અને મેડિટેશન, આત્મનિરીક્ષણ દ્વારા ગુસ્સાને નિયંત્રિત કરો.
માથું દુખવું:
સપ્તાહમાં એકાદ વખત માથું ન ચડતું હોય એવી બહુ ઓછી વ્યક્તિ જોવા મળશે.
જ્યારે વ્યક્તિ જરૂરથી વધારે વિચારે છે, દરેક વાતે ખુદને ઠપકો આપે છે અને આખા ગામની ફ્કિર લઈને વ્યક્તિ જીવે છે, ત્યારે માથાનો દુખાવો ઉત્પન્ન થાય છે.
એનાથી બચવા માટે ખુદનું સન્માન કરો અને જે બાબત પર તમારો કંટ્રોલ નથી એ બાબતે વધારે નહીં વિચારો.
લૂઝ મોશન (ડાયેરિયા) અને કબજિયાત:
લૂઝ મોશન (ડાયેરિયા) અને કબજિયાતમાં પણ સાઇકોલોજિકલ રિઝન છે.
દાખલા તરીકે આપણી સાથે એવી કોઈ ઘટના બને છે જેને આપણે હજમ નથી કરી શકતા જેમ કે, નોકરી જતી રહેવી કે અચાનક કોઈનું મૃત્યુ થવું.
આવી સ્થિતિમાં આપણી પાચનક્રિયા ખોરવાય છે અને ઝાડા, અપચો થાય છે.
આ દુનિયામાં દરેક બાબત એના ક્રમ મુજબ ચાલે છે અને જે વસ્તુ બની ચૂકી છે એના પર આપણો કંટ્રોલ નથી.
તેથી એ દિશામાં વિચારવાનું ટાળી મનને સંયમિત કરો.
એ જ રીતે કબજિયાતનો સંબંધ જે ચીજવસ્તુઓને આપણે છોડવા નથી ઈચ્છતા એની સાથે છે.
એકની એક વાત મનમાં ઘૂંટાયા કરે છે, આપણે એને છોડવા નથી ઈચ્છતા, ત્યારે પેટ પણ શરીરની ગંદકી છોડવા નથી ઈચ્છતું, અને આ કારણસર કબજિયાત થાય છે.
એનાથી બચવા માટે લેટ ગો કરો અને ખરાબ વાતો ભૂલતાં શીખો.
ઘૂંટણ દર્દ:
જ્યારે વ્યક્તિ પોતાની જૂની યાદોને કે જેમાં સ્વાભિમાન પર ચોટ પહોંચી છે, એને ભુલાવી ન શકે ત્યારે ઘૂંટણમાં દર્દ થાય છે.
એ લગભગ ૪૦ વર્ષની આજુબાજુ થાય છે.
આવા લોકો પાસે જિંદગીના અનેક કડવા અનુભવો હોય છે, જેને ભૂલી ન શકવાથી ઘૂંટણનો દુખાવો થાય છે.
એનાથી બચવાનો એક જ ઉપાય છે ભૂલીને આગળ વધો.
જિંદગી ખૂબસૂરત છે એને માણવાની કોશિશ કરો.
જીવનની ખરાબ ઘટનાઓને નજરઅંદાઝ કરી આગળ વધવાથી ઘણી બધી શારીરિક, માનસિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
~ ડૉ. ચાંદની મહેતા
1 note
·
View note
Abu hills book now ...... ♦️આપના સ્વપ્ન નું એકમાત્ર વીલા ♦️ આબુહિલ્સ વિલા આપે છે 1BHK + ગાર્ડન, કાર પાર્કિંગની સુવિધા સાથે નું લકઝુરિયસ વીલા ♦️ લિમિટેડ વિલા જેમાં છે ફક્ત 54 વીલા અને ૨૦ થી વધુ અત્યાધુનિક એમિનિટીઝ ♦️લકઝરિયસ એમિનિટીઝ :- ✔️ યોગા અને મેડિટેશન સેન્ટર ✔️ લેન્ડ સ્કેપ ગાર્ડન , મોટૉ પાર્ટી પ્લોટ ✔️ મકાન ની આગળ ૧૨ મીટર નો વાઈડ સ્પેસ અને પાછળ વાઈડ એરિયા સાથે પોતાનું પાર્કિંગ તો ખરું જ ✔️ જોગીંગ ટ્રેક એરિયા,ગઝેબો,ચિલ્ડ્રન પ્લે એરીયા ✔️ રૅઈન ડાંસ એરિયા ✔️ આકર્ષક એન્ટ્રી ગેટ વીથ સિક્યુરિટી કેબીન,RCC રોડ ✔️ 24×7 CCTV કેમેરા, બાર, ઓપન રેસ્ટોરન્ટ / થિયેટર , ✔️ કમ્પાઉન્ડ વોલ જેવી ઘણી બધી સુવીઘા 🏡આબુ હિલ્સ, ડૅરના, આબુ રોડ . 📞માહિતી કે બુકિંગ માટે આજે જ સંપર્ક કરો : +91 72111 99803 https://www.instagram.com/p/CDwVwAkghgc/?igshid=1mxf0itvjroy1
0 notes
આ ઈસ્લામિક દેશમાં યોગ કરી રહેલા લોકોને ભીડે ભગાવ્યા, તપાસના આદેશ અપાયા
આ ઈસ્લામિક દેશમાં યોગ કરી રહેલા લોકોને ભીડે ભગાવ્યા, તપાસના આદેશ અપાયા
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના અવસરે મંગળવારે સવારે જ્યાં એક બાજુ દુનિયાભરના લોકો યોગ કરતા જોવા મળી રહ્યા હતા, ત્યારે માલદીવ્ઝ્ઝમાં એક અલગ જ ઘટના જોવા મળી હતી, રાજધાની માલેના નેશનલ ફૂટબોલ સ્ટેડિયમમાં યોગ અને મેડિટેશન કરી રહેલા લોકો પર ગુસ્સે થયેલા લોકોએ આક્રમણ કર્યું. ભીડ સ્ટેડિયમમાં ઘૂસી આવી અને તોડફોડ કરવા લાગી. આ પ્રદર્શનકારીઓ યોગ કાર્યક્રમથી નારાજ હતા અને આનો વિરોધ કરી રહ્યા હતા, પ્રદર્શનકારીઓએ…
View On WordPress
0 notes