૫. સ્વ સંકલ્પના – Self Concept
૫. સ્વ સંકલ્પના – Self Concept
એક વખત એક વક્તાને કોઈએ પૂછ્યું કે ‘પ્રવચન કેવું રહ્યું?’ તો વક્તાએ જવાબ આપ્યો કે ‘કયું પ્રવચન? મેં જે પૂર્વતૈયારી વખતે વિચાર્યું હતું કે આમ બોલીશ તે, કે પછી જ્યારે મેં પ્રવચન આપ્યું અને તે સમયે જે બોલાયું તે પ્રવચન અને બોલ્યા પછી મને જે લાગ્યું કે આમ કહ્યું હોત તો ઠીક હતું તે પ્રવચન. એક જ ઘટનાને કેટકેટલા પરિમાણોથી જોઈ શકાય, સમજી શકાય કે મૂલવી શકાય. તો સ્વના સંદર્ભમાં જો વિચારીએ તો અસંખ્ય…
View On WordPress
0 notes
સાઈકોગ્રાફ ૫. ટેલિફોન રોમિયો - રોષ કરવો કે દયા ખાવી?
સાઈકોગ્રાફ ૫. ટેલિફોન રોમિયો – રોષ કરવો કે દયા ખાવી?
ટેલિફોન આપણા માટે એક ઉપયોગી સાધન છે. ટેલિફોનને કારણે સમયનો અભુત બચાવ થાય છે અને વાહનવ્યવહાર પરનું દબાણ ઘટે છે. અનેક વખત કટોકટીઓને પણ ટાળી શકાય છે. આર્થિક દૃષ્ટિએ ટેલિફોન વિકાસનું સાધન છે. પરંતુ આપણે સંક્રાંતિના એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ કે હજુ પણ ટેલિફોન જેવા ઉપયોગી સાધનનું પૂરેપુરું મહત્ત્વ સમજીને એને ખપમાં લેતાં શીખ્યા નથી. ટેલિફોન સેવા આપનાર તંત્ર પાસે ઈજારશાહી છે અને એને એ કમાણીનું…
View On WordPress
0 notes
સાયકોગ્રાફ ૪. ‘બોડી લેંગ્વેજ'નું વિજ્ઞાન
સાયકોગ્રાફ ૪. ‘બોડી લેંગ્વેજ’નું વિજ્ઞાન
સુનિલ ગાવસકરનું નામ વિશ્વ ક્રિકેટમાં આજે ય ઘણા સન્માન સાથે લેવાય છે. વિશ્વસ્તરના ઓપનિંગ બેટ્સમેન હોવા ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી અને સૌથી વધુ રન કરવાના વિક્રમો એક સમયે પોતાના ખાતામાં જમા કરાવવા ઉપરાંત ગાવસકરે ક્રિકેટની રમતમાં એક નિષ્ણાત તરીકે પોતાની છાપ ઊભી કરી છે. ક્રિકેટની સક્રિય રમતમાંથી નિવૃત્ત થયા પછી એણે એક સમીક્ષક, આલોચક, વિવરણકાર અને વ્યાવસાયિક તરીકે પોતાનું સ્થાન કાયમ કર્યું…
View On WordPress
0 notes
૩. અભિશાપ અને ગાળના બૂમરેંગ
૩. અભિશાપ અને ગાળના બૂમરેંગ
બિહારના મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવ સામે ભ્રષ્ટાચારનો મજબૂત કેસ બનતો હોવા છતાં દેશના વડાપ્રધાન એમને સત્તા છોડવા ફરજ પડી શકયા નહીં. એમણે છેવટે રાજીનામું આપ્યું તે ય એવી રીતે આપ્યું કે છેવટે સત્તા એમની પાસે જ રહી. હજુ ય લાલુપ્રસાદને કશું જ કહી શકવાની કદાચ કોઈનામાં હિંમત નથી. થોડા દિવસ પહેલાં વડાપ્રધાન જેવી વ્યકિત જયારે પોતાની ‘લાચારી’ જાહેર કરે ત્યારે એમની દયા જ આવે. વડાપ્રધાન ગુજરાલ એક પીઢ…
View On WordPress
0 notes
૨. જાતિ વિષયક ઓળખ
૨. જાતિ વિષયક ઓળખ
પ્રાસ્તાવિકસામાજીકરણ- અર્થજાતિ વિષયક નિશ્ચિત ભૂમિકાઓનો ઉદ્ભવકુટુંબજ્ઞાતિઉપસંહાર
પ્રાસ્તાવિક
જન્મ સમયે કોઇપણ બાળક તોફાની, જિદ્દી, હોંશિયાર, સહનશીલ, કાયર કે જુલ્મી નથી હોતો. તે સામાજિક કે અસામાજિક પણ ક્યાંથી હોઇ શકે? એ સમયે તે માત્ર જૈવીય ગુણો ધરાવતું માનવબાળ હોય છે. તેનો ઉછેર થતાં તે સામાજિક આંતરક્રિયામાં પ્રવેશતાં તે વાતાવરણ અનુસાર વર્તન કરવાનું શીખે છે. જીવનના આ અનુભવોને આધારે તે સામાજિક…
View On WordPress
0 notes
૩. સ્વનું દર્શનશાસ્ત્ર
વિશ્વના તમામ દાર્શનિકોને માટે સ્વનો સાક્ષાત્કાર એ જ જીવનનું પરમ લક્ષ્ય રહ્યું છે. સોક્રેટિસે દર્શનશાસ્ત્રનું પરમ લક્ષ્ય જણાવતા કહ્યું હતું કે, ‘તારા આત્માને ઓળખ (Know Thyself).’ લાઓત્ઝુ ‘તાઓ તે કિંગ’માં કહે છે કે ‘બીજા વિશે જાણવું તે ડહાપણ છે પણ પોતાના વિશે જાણવું તે આત્મ સાક્ષાત્કાર છે.’ ભારતીય મનીષીઓએ તો આરંભથી જ ‘આત્મા’ અને ‘અહંકાર’ના ખ્યાલ સાથે સ્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય…
View On WordPress
1 note
·
View note
૧. ‘સ્વ’ એટલે શું?
૧. ‘સ્વ’ એટલે શું?
આપણને કોઈ પૂછે કે તમે કોણ છો? તો તરત આપણે આપણું નામ, ભણતર, વ્યવસાય, જ્ઞાતિ વગેરે વિશે જણાવીશું. પણ શું આ જ આપણી ઓળખાણ છે? એક માણસની ઓળખાણ અહીં જ સમાપ્ત થઇ જતી નથી. બલ્કે નીચેના પ્રશ્નો તેની સાચી ઓળખાણ કરાવે છે.
એક કવિએ કહ્યું છે,
“નામ આપનું, બાપનું અને અટક
જરા! અટક!”
અહીંથી અટક્યા પછી જ અસલી ઓળખાણ શરૂ થાય છે.
હું કોણ છું ?હું ક્યાંથી આવ્યો છું ?મારે ક્યાં જવાનું છે ?હું શું કરવા આવ્યો છું…
View On WordPress
0 notes
૧. સ્ટ્રેસ એટલે શું?
૧. સ્ટ્રેસ એટલે શું?
સ્ટ્રેસ. આ શબ્દ જ સ્ટ્રેસ જન્માવનારો છે. સ્ટ્રેસ એટલે માનસિક તનાવ અથવા તાણ. મૂળ તો આ ભૌતિક વિજ્ઞાનનો શબ્દ છે. ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થના અને ખાસ તો પ્રવાહીના પટના ખેંચાણ માટે આ શબ્દ વપરાય છે. દાખલા તરીકે પાણીની સપાટી પર હળવે રહીને ટાંકણી આડી મૂકી દેવામાં આવે તો તે પાણીમાં ડૂબી જવાને બદલે પાણી પર તર્યા કરે છે. આવું પ્રવાહી પરના ખેંચાણ અથવા સ્ટ્રેસને કારણે થાય છે, પરંતુ આજકાલ આ શબ્દએ જુદો જ સંદર્ભ…
View On WordPress
0 notes
‘સ્ટ્રેસ’ની આગળ અને પાછળ - આમુખ
‘સ્ટ્રેસ’ની આગળ અને પાછળ – આમુખ
આજથી પાંચેક વર્ષ પહેલાં ‘ટાઈમ મેનેજમેન્ટ’ વિષેની લેખમાળા લખાઈ ગઈ ત્યારે જ ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ વિષે લખવાની ઉત્કંઠા હતી. આમેય ‘ટાઈમ મેનેજમેન્ટ’નો વિષય ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ની અંતર્ગત જ આવે છે. એથી ખરેખર તો ‘ટાઈમ મેનેજમેન્ટ’ કરતા સ્ટ્રેસ મેનેજમેન્ટ પહેલું લખાવું જોઈતું હતું. પરંતુ મારો અર્થબોધ કંઈક એવો હતો કે ‘ટાઈમ મેનેજમેન્ટ’નો વિષય ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’નો એક હિસ્સો હોવા ઉપરાંત એ અલગ વિષય…
View On WordPress
0 notes
૨. હિંસા-હુલ્લડમાં પ્રદૂષણ
2. Pollution in Violence and Riots
હમણાં મુંબઈમાં રમખાણો ફાટી નીકળ્યાં. એના પ્રત્યાઘાતો ગુજરાતમાં પણ પડયા. કારણ શું હતું એ મહત્ત્વનું નથી. એટલા માટે કે આજકાલ રમખાણો, તોફાન કે હિંસાખોરો માટે કોઈ ચોક્કસ કારણની જરૂર પડતી નથી. રમખાણો, હિંસાખોરી અને તોફાનો માત્ર આપણા દેશ માટે જ નહિ, દુનિયા આખી માટે જાણે રાબેતા મુજબની ઘટના બની ગઈ છે. ખરેખર તો આ એક પ્રકારની ગુનાખોરી જ છે. રમખાણો ન થાય ત્યારે ચોરી,…
View On WordPress
0 notes
આમુખ - મન, વર્તન અને સ્વભાવને સમજવાની મથામણ
આમુખ – મન, વર્તન અને સ્વભાવને સમજવાની મથામણ
મનોવિજ્ઞાન સાથેનો સંબંધ ગાઢ બનતો ગયો તેમ તેમ લાગવા માંડ્યું કે આ વિષયને તમામ પ્રકારના માણસો સાથે સીધો સંબંધ હોવા છતાં એને શાસ્ત્રીયતાના કોશેટોમાં પૂરી રાખવામાં આવ્યું છે. ડૉ. રાધાકૃષ્ણન કહેતા હતા કે દરેક માણસ મૂળભૂત તત્ત્વજ્ઞાની છે. એ જ રીતે દરેક માણસ મૂળભૂત રીતે મનોવિજ્ઞાનનો જાણકાર છે. મનોવિજ્ઞાનીઓએ સામાન્ય જનના મનોવિજ્ઞાનને ‘લે મેન્સ સાઈકોલોજી‘ નામ આપ્યું છે. પરંતુ ત્યાં પણ સાઈકોલોજી તો છે જ.…
View On WordPress
0 notes
પ્રસ્તાવના - માનવ મનનું સોફટવેર
પ્રસ્તાવના – માનવ મનનું સોફટવેર
અદ્યતન યુગના જટિલમાં જટિલ યંત્ર કરતાં પણ ચાર ચાસણી ચડે તેવું યંત્ર હોય તો તે છે માનવ શરીર. તેનો એક ભાગ એટલે કે માનવીનું મન માત્ર જટિલ નહિ પણ અગમ્ય છે – રહસ્યમય છે. માનવીનું શરીર જો કમ્પ્યુટરની ભાષામાં હાર્ડવેર હોય તો માનવીનું મન એ તેનું સોફટવેર છે. અદૃશ્ય રહીને પણ તે શરીરની અંદર તેમજ બહાર મોટો પ્રભાવ ધરાવે છે. એક બિંદુથી પરિતૃપ્તિ અનુભવે તેટલું તે સંતોષીલું છે તો અગાધ જળરાશિ વચ્ચે પણ તરસ્યું રહે…
View On WordPress
1 note
·
View note